બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Maldives suspends ministers over "derogatory" remarks made against PM Modi's Lakshadweep visit
ADVERTISEMENT
માલદીવ સરકારે પીએમ મોદી અને ભારત સામે વાંધાજનક ટીપ્પણી કરનાર મંત્રીઓ મરિયમ શિઉના અને હસન જિહાનને મંત્રી પદેથી બરખાસ્ત કરી દીધા છે. પીએમ મોદીની મજાક ઉડાવનાર કેટલાક અધિકારીઓને પણ બરખાસ્ત કર્યાં છે. માલદીવ સરકારના પ્રવક્તા અને મંત્રી ઈબ્રાઈમ ખલીલે એક નિવેદન બહાર પાડીને મંત્રીઓ અને અધિકારીઓની બરખાસ્તગીનું એલાન કર્યું હતું.
કયા કયા મંત્રીઓ બરખાસ્ત
પીએમ મોદી અને ભારત સામે વાંધાજનક બોલનાર માલદીવના મંત્રી મરિયમ શિઉના, માલશા અને હસન જિહાનને બરખાસ્ત કરાયા છે.
ADVERTISEMENT
Maldives suspends ministers over "derogatory" remarks made against PM Modi's Lakshadweep visit https://t.co/9oQvvJNFuA
— Sunanda Vashisht (@sunandavashisht) January 7, 2024
ADVERTISEMENT
માલદીવના બે મંત્રીઓ-અધિકારીઓ શું ટીપ્પણી કરી હતી
માલદીવના યુવા સશક્તિકરણના નાયબ મંત્રી મરિયમ શિઉનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'જોકર' અને 'કઠપૂતળી' ગણાવ્યા હતા. વિરોધ બાદ તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. અન્ય એક મંત્રી ઝાહિદ રમીઝ સહિત માલદીવના અન્ય અધિકારીઓએ તસવીરો સાથે વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાવી હતી. તેમણે એક ટ્વીટ શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે- પીએમ મોદીનું આ પગલું માલદીવ માટે મોટો ઝટકો છે અને લક્ષદ્વીપમાં પર્યટનને વેગ આપશે. મંત્રી જાહિદ રમીઝે કહ્યું, "આ પગલું ખૂબ જ સારું છે. જો કે, આપણી સાથે સ્પર્ધા કરવાનો વિચાર ભ્રામક છે. અમે પ્રદાન કરીએ છીએ તે સેવા તેઓ કેવી રીતે પ્રદાન કરી શકશે? તેઓ આટલા બધા સ્વચ્છ કેવી રીતે હોઈ શકે?
#DebBiz #BigBreaking #NarendraModi #BoycottMaldives
— Debasish Gharai (@DebasishGharai) January 7, 2024
Maldives govt suspends ministers who made racist remarks against Indians to target PM Modi's Lakshadweep visit
Maldives govt suspends Minister Mariyam Shiuna, Malsha and Hassan Zihan over derogatory remarks made on PM Modi
ADVERTISEMENT
વધુ વાંચો : માલદીવના મંત્રીએ PM મોદીને કેમ કહ્યાં જોકર-કઠપૂતળી? કેમ થઈ ઈર્ષા, આ રહ્યું મોટું કારણ
ADVERTISEMENT
મંત્રીઓના નિવેદનો સાથે લેવાદેવા નથી-માલદીવ સરકાર
પીએમ મોદીને વિદૂષક અને કઠપૂતળી કહેવાનું માલદીવના મંત્રીઓને ખૂબ ભારે પડ્યું છે. મંત્રીઓની પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર કરાયેલી વાંધાજનક ટીપ્પણીઓનો માલદીવમાં જ મોટો વિરોધ થઈ રહ્યો છે. ભારતના વાંધા બાદ હવે માલદીવ સરકારે પણ તત્કાળ જવાબ આપ્યો છે. માલદીવે બહાર પાડેલા સત્તાવાર નિવેદનમાં એવું કહેવાયું છે કે મંત્રી મરિયમ શિઉના દ્વારા કરાયેલી ટીપ્પણી તેમનો અંગત વિચાર છે અને તે માલદીવ સરકારનું પ્રતિનિધિત્વ નથી કરતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.