બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 09:13 AM, 8 March 2024
આજે મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. મહાશિવરાત્રીને લઈને ભગવાન શિવ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે આ ખાસ દિવસની મધ્યરાત્રીએ જ ભગવાન શંકરનું અવતરણ થયું હતું. એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ કરી પોતાની ત્રીજી નેત્ર ખોલી હતી અને બ્રહ્માંડને આ નેત્રની જ્વાલાથી સમાપ્ત કર્યું હતું. આજ પાવન રાત્રીએ ભગવાન શિવે સંરક્ષણ અને વિનાશનું સર્જન કર્યું હતું. માન્યતા એવી પણ છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના શુભ વિવાબ સંપન્ન થયા હતા.
શિવરાત્રીના દિવસે કેવી રીતે કરશો ભોલેનાથની ઉપાસના?
મહાશિવરાત્રીના દિવસે સાંજે સ્નાન કરીને શિવ પૂજાનો સંકલ્પ લો. શિવજીને જળ અર્પિત કરો. પંચોપચાર પૂજન કરીને શિવજીના મંત્રોનો જાપ કરો. રાત્રે શિવ મંત્રો ઉપરાંત રૂદ્રાષ્ટક કે શિવ સ્તુતિનો પાઠ પણ કરી શકો છો. જો ચાર પહેર પૂજન કરો છો તો પહેલા પ્રહરમાં દૂધ, બીજામાં દહીં, ત્રીજામાં ઘી અને ચોથામાં મધથી પૂજન કરો.
આ પ્રહરમાં જળનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવ પૃથ્વી પર હાજર હરેક શિવલિંગમાં વિદ્યમાન થાય છે. માટે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વિવાહ સંબંધિત ઉપાય
પીળા વસ્ત્ર ધારણ કરીને શિવ પૂજન કરો. પોતાની ઉંમર બરાબર બિલિપત્ર લો. શિવલિંગ પર એક એક કરીને બિલિપત્ર અર્પિત કરો. દરેક બિલિપત્રની સાથે 'નમઃ શિવાય' બોલો. જલ્દી વિવાહની પ્રાર્થના કરો.
ધનની પ્રાપ્તિ માટે કરો આ ઉપાય
દૂધ, દહીં, મધ, સાકર અને ઘીથી ભગવાન શિવનો અભિષેક કરો. ત્યાર બાદ જળ ધારા અર્પિત કરો. પછી ધન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો. આ ચમત્કારી ઉપાયથી ધનની આવક વધશે.
શિક્ષા અને એકાગ્રતા માટે ઉપાય
શિવરાત્રીના દિવસે ભગવાન શિવને દૂધ મિક્સ કરીને જલ અર્પિત કરો. જળમાં અત્યંત અલ્પ માત્રા દૂધની મિક્સ કરો. તેની ધાર સતત શિવલિંગ પર પાડતા રહો. તે સમયે "શિવ-શિવ" કહેતા જાઓ. શિવલિંગથી સ્પર્શ કરીને પાંચ-મુખી રૂદ્રાક્ષ ધારણ કરો.
વધુ વાંચો: 11 વર્ષ બાદ બની રહ્યો છે મહાશિવરાત્રી પર આ ખાસ યોગ, જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
શિવરાત્રી પર શું સાવધાની રાખી શકાય?
મહાશિવરાત્રી પર બિનજરૂરી વસ્તુઓની બર્બાદી ન કરો. કોઈ પણ ઉપાય કર્યા બાદ નિર્ધનોને કંઈકને કંઈક દાન જરૂર કરો. ભગવાન શિવને હળદર, કંકુ કે સિંદૂર અર્પિત નથી કરવામાં આવતું. આ વાતનું ખાસ ધ્યાન રાખો. શિવલિંગ પર સિંદૂર કે કંકુની જગ્યા પર તમે ચંદનને અર્પિત કરી શકો છો. શિવલિંગ પર શંખથી જળ ન ચડાવો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime