Maharashtra Politcal Crisis: Eknath Shinde tweets Shiv Sena support people who had direct connection with culprits of Mumbai bomb blast, Dawood Ibrahim
ઘેરું સંકટ /
એકનાથ શિંદેનો ઉદ્ધવ પર હુમલો, પૂછ્યું- જેના દાઉદ સાથે સંબંધ, તેમનું સમર્થન કેવી રીતે કરી શકો?
Team VTV11:54 PM, 26 Jun 22
| Updated: 12:02 AM, 27 Jun 22
દાઉદ સાથે સંબંધ ધરાવતા લોકોને તમે કેવી રીતે સમર્થન આપી શકો - શિંદેના ટ્વીટથી ખળભળાટ
મહારાષ્ટ્રની રાજકીય સંકટ ઘેરું બન્યું
શિવસેના દાઉદ સાથે સંબંધ રાખતા લોકોનું સમર્થન કેવી રીતે કરી શકે: શિંદે
શિવસેનાના વાર બાદ શિંદેનો પલટવાર
મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં બાપ સુધી પહોંચી ગયા બાદ મારવા તોડવાની વાતો અને ગંભીર આરોપો પણ થઈ રહ્યા છે. શિવસેનાએ શાબ્દિક હુમલો તેજ કરતાં એકનાથ શિંદે પણ હમલાવર થયા છે તેમણે ટ્વિટ કરી કહ્યું છે કે હિન્દુ સમ્રાટ રાજા બાળાસાહેબ ઠાકરેની શિવસેના દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ ધરાવતા વ્યક્તિને કેવી રીતે સમર્થન આપી શકે. મુંબઈના નિર્દોષ નાગરિકોનો ભોગ લેનાર દાઉદ પાસેથી? અમે આ નિર્ણયનો વિરોધ કરવા માટે પગલાં લીધાં છે. કોઈ વાંધો નથી કે આ નિર્ણય આપણને મૃત્યુના આરે લઈ જાય છે.આમ કરી શિંદે ખુલ્લો મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના અમુક નેતાઓ પર પ્રહાર કર્યો છે.
એકનાથ શિંદેનું ટ્વીટ
મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગારો, દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈના નિર્દોષ લોકોના જીવ લેવા માટે જવાબદાર લોકો સાથે સીધો સંબંધ ધરાવતા લોકોને બાળાસાહેબ ઠાકરેની શિવસેના કેવી રીતે સમર્થન આપી શકે? તેથી જ અમે આવું પગલું ભર્યું છે, આ કરતા મરવું સારું છે
How can Balasaheb Thackeray's Shiv Sena support people who had direct connection with culprits of Mumbai bomb blast, Dawood Ibrahim & those responsible for taking lives of innocent people of Mumbai. That's why we took such step, it's better to die, tweets Eknath Shinde pic.twitter.com/9Tbjd7CLs1
શિવસેનાને બચાવવા માટે મરી જવું વધુ સારું: શિંદે
એકનાથ શિંદેએ ટ્વિટ કરીને લખ્યું, "હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વવાદી વિચારો માટે અને બાળાસાહેબની શિવસેનાને બચાવવા માટે આપણે મરી જઈએ તો સારું. જો એવું થશે તો આપણે સૌ પોતાને ભાગ્યશાળી માનીશું.
સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે થશે સુનાવણી, બંને પક્ષના વકીલોનો નિર્ણય
મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હવે સુપ્રીમના દ્વારે પહોંચ્યું છે. બાગી છાવણીના નેતા એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરીને ડેપ્યુટી સ્પીકરની અયોગ્યતાની નોટીસને પડકારી છે. આવતીકાલે સુપ્રીમમાં આ કેસની સુનાવણી થવાની છે. જાણીતા વકીલ હરીશ સાલ્વે આવતીકાલે એકનાથ શિંદે વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થશે. શિંદે જૂથે તેમનો કેસ લડવા માટે હરીશ સાલ્વેની પસંદગી કરી છે. સાથે જ અભિષેક મનુ સિંઘવી શિવસેના તરફથી કોર્ટમાં હાજર થશે. આ સાથે જ ડેપ્યુટી સ્પીકર તરફથી વકીલ રવિશંકર જંધ્યાલા કેસ લડશે. જ્યારે દેવદત્ત કામત મહારાષ્ટ્ર સરકાર તરફથી દલીલો કરશે.
શિંદે જૂથનો દાવો હજુ બે ધારાસભ્યો આવશે
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે જણાવ્યું હતું કે એકથી બે ધારાસભ્યો અમારી સાથે આવશે. તેમના સમર્થન અને અન્ય અપક્ષ ઉમેદવારોના સમર્થનથી અમારી સંખ્યા વધીને 51 થઈ જશે. અમે 3-4 દિવસની અંદર કોઈ નિર્ણય પર પહોંચીશું અને પછી મહારાષ્ટ્ર પાછા જઈશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિંદે છાવણીના વિધાનસભ્યો ગમે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવા તૈયાર છે, પરંતુ એકનાથ શિંદે જૂથને પ્રાધાન્ય આપવું જોઈએ. અમે એમવીએ સરકાર સાથે જઈશું નહીં.
એકનાથ શિંદે જૂથમાં વધુ એક મંત્રીની એન્ટ્રી
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ કો, મહારાષ્ટ્રના વધુ એક મંત્રીની શિંદે ગ્રુપમાં એન્ટ્રી થઈ છે. મહારાષ્ટ્ર સરકારમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ મંત્રી ઉદય સામંત રવિવારે એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે. ઉદય સામંત શિંદે જૂથમાં સામેલ થનારા મહારાષ્ટ્ર સરકારના આઠમાં મંત્રી છે. એકનાથ શિંદે, દાદા ભુસે, ગુલાબરાવ પાટિલ, સંદીપન ભુમરે, ઉદય સામંત, તેમાં ઉદય સામંત ગુવાહટીના રસ્તે જઈ રહ્યા છે. ઉપરાંત રાજ્ય મંત્રી શંભુરાજ દેસાઈ, અબ્દુલ સત્તારી, રાજેન્દ્ર પાટિલ, યેદ્રાવકર, બચ્ચૂ કડ્ડુ પણ તેમની સાથે છે.ઉદ્ધવ ઠાકરે સાથે નિચલા ગૃહમાં કેબિનેટ મંત્રી તરીકે ફક્ત આદિત્ય ઠાકરે બચ્યા છે. આ ઉપરાંત બે અન્ય મંત્રી સુભાષ દેસાઈ અને અનિલ પરબ છે. બંને વિધાન પરિષદના સભ્યો છે. એક અન્ય કેબિનેટ મંત્રી શંકરરાવ ગડખ ક્રાંતિકારી શેતકારી પક્ષ પાર્ટીમાંથી છે.
ગુવહાટીથી આવશે 40 ધારાસભ્યોની ડેડબોડી
મુંબઈના સાહિસરમાં કાર્યકરોના 'શિવસેના મેલાવા' (પાર્ટી મેળાવડા)માં બોલતા, રાઉતે કહ્યું હતું કે, "ગુવાહાટીથી 40 મૃતદેહો આવશે અને તેમને સીધા પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવશે. રાઉતની આ ટિપ્પણી બાદ થોડા સમય માટે મૌન રહ્યા બાદ પ્રેક્ષકોમાંથી પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું, "ના સર, અમે સીધી રીતે તેમની રાખનું વિસર્જન કરીશું." "હા, અમે તેમને ચેટ પૂજામાં મોકલીશું" રાઉતે જવાબ આપ્યો જ્યારે પ્રેક્ષકો ખડખડાટ હસી પડ્યા.
ગુવાહાટીમાં અમે 40 આખલા મોકલ્યાં છે ત્રણ ભેંસો પણ છે-સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું કે ગુવાહાટીમાં અમે ચાલીસ આખલાઓ મોકલ્યા છે, જેમની બલિ ચડાવવામાં આવશે. આસામમાં કામાખ્યા દેવી મંદિર - જડુ તોના મંદિર છે, જ્યાં આખલાઓની બલિ ચડાવવામાં આવે છે. રાઉતે ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોર નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, અમે અહીંથી ચાલીસ આખલાઓ મોકલ્યા છે જેમની બલિ ચઢાવવામાં આવશે. તેમણે કામખ્યા દેવી મંદિરને 'જાદુ તોના' મંદિર તરીકે પણ ઓળખાવ્યું હતું. રાઉતે પૂછ્યું કે ધારાસભ્યો ગુવાહાટીમાં બેઠા છે અને તેમની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે તેની હિંમત કેવી રીતે કરી રહ્યા છે. સંજય રાઉતની દ્વેષપૂર્ણ ટિપ્પણી બાદ ઉત્સાહિત શિવસેનાના કાર્યકરો ખડખડાટ હસી રહ્યા હતા અને તેમનો ઉત્સાહ વધારી રહ્યા હતા. શિંદે કેમ્પમાં શિવસેનાના ત્રણ મહિલા ધારાસભ્યો પર કરવામાં આવેલી ખોટી ટિપ્પણીમાં પાર્ટીના એક કાર્યકર્તાએ ઊભા થઈને ટિપ્પણી કરી હતી કે, "સર, 40 આખલાઓના ટોળામાં, ત્રણ ભેંસો પણ છે.