બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / સુનેત્રા પવાર બની શકે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM! પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબળે કરી મુલાકાત
Last Updated: 04:24 PM, 29 January 2026
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ બાદ તેમના પત્ની સુનેત્રા પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, ધનંજય મુંડે અને સુનીલ તટકરેએ સુનેત્રા સાથે મુલાકાત કરી.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બુધવારે બારામતીમાં ક્રેશ થયું હતું. તેમનું વિમાન લેન્ડિંગ સ્ટ્રીપને અડીને આવેલા વિસ્તારમાં ક્રેશ થયું હતું. લેન્ડિંગ દરમિયાન વિમાને નિયંત્રણ ગુમાવ્યું હતું.

ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર સુનેત્રાને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવશે. સુનેત્રા પવાર તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રફુલ્લ પટેલ એનસીપીના અધ્યક્ષ બની શકે છે. તેઓ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળશે. બેઠક દરમિયાન એનસીપી (એસપી) ના વિલીનીકરણ પર પણ ચર્ચા થઈ શકે છે.

ADVERTISEMENT
નોંધનીય છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બુધવારે બારામતીમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. વિમાનમાં અજિત પવાર, એક સુરક્ષા ગાર્ડ, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સવાર હતા. અજિત પવાર 5 ફેબ્રુઆરીએ પુણેમાં જિલ્લા પરિષદની ચૂંટણી માટે રેલીઓને સંબોધિત કરવાના હતા. તે સવારે તેઓ મુંબઈથી બારામતી જવા રવાના થયા હતા, પરંતુ લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.