મુંબઈમાં ગટરમાં વહી રહેલા બાળકને બચાવવાની ઘટના સામે આવી છે જેમા બિલાડીઓએ ખૂબ મદદ કરી હતી.
મુંબઈમાં સામે આવી ચોંકવાનારી ઘટના
ગરનાળામાંથી બચાવાયું નવજાત બાળક
બિલાડીએ શોર મચાવીને આસપાસનાં લોકોને કર્યા એકઠા
રામ રાખે તેને કોણ ચાખે?
એવું કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે? મુંબઈમાં આ કહેવત સાચી પડી હોય તેવી ઘટના સામે આવી છે. એક નવજાત બાળક માટે બિલાડીઓ જાણે દેવદૂત બનીને આવી અને તે બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં મુંબઈ પોલીસે પણ સારું કામ કરતાં સોશ્યલ મીડિયામાં વખાણ કરવામાં આવી રહ્યા છે.
Pantnagar P.stn received a call from a good samaritan that a baby, wrapped in cloth, was dumped in a drain. He was alerted when the neighbourhood cats created a ruckus. the baby was rushed to Rajawadi by the Nirbhaya Squad of Pantnagar P.Stn & is now safe & recovering. pic.twitter.com/nEGSDCD6wz
સોશ્યલ મીડિયામાં લોકોએ કર્યા વખાણ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, પંતનગર પાસે એક ગરનાળામાં એક નવજાત બાળક મળી આવ્યું છે અને બાળકનો જીવ બચાવવા માટે સોશ્યલ મીડિયામાં લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.
બિલાડીઓએ કઈ રીતે બચાવ્યો જીવ
નોંધનીય છે કે તે બાળક ગરનાળામાં કઈ રીતે પડ્યું તેની કોઈ જાણકારી નથી, તે બાળકને કોઈ ત્યાં ફેંકી ગયું કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે પરંતુ બાળકનો જીવ બચાવવામાં બિલાડીઓએ મોટો ભાગ ભજવ્યો હતો. ગટરમાં બાળકને પડેલું જોઈને બિલાડીઓએ જોરજોરથી અવાજ કર્યો જે બાદ લોકોની નજર બાળક પર પડી અને તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા તેનો હીવ બચાવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું કે જો બિલાડીએ હંગામો ન મચાવ્યો હોત તો કદાચ તે બાળકનો જીવ બચ્યો જ ન હોત.
બાળક હાલ સુરક્ષિત છે
મુંબઈ પોલીસ ત્યાં પહોંચી અને તરત જ બાળકને રેકસયૂ કરીને તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. હાલ બાળક સુરક્ષિત છે અને સારવાર કરવામાં આવી રહી છે.