બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રામ રાખે તેને કોણ ચાખે?
એવું કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે? મુંબઈમાં આ કહેવત સાચી પડી હોય તેવી ઘટના સામે આવી છે. એક નવજાત બાળક માટે બિલાડીઓ જાણે દેવદૂત બનીને આવી અને તે બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં મુંબઈ પોલીસે પણ સારું કામ કરતાં સોશ્યલ મીડિયામાં વખાણ કરવામાં આવી રહ્યા છે.
Pantnagar P.stn received a call from a good samaritan that a baby, wrapped in cloth, was dumped in a drain. He was alerted when the neighbourhood cats created a ruckus. the baby was rushed to Rajawadi by the Nirbhaya Squad of Pantnagar P.Stn & is now safe & recovering. pic.twitter.com/nEGSDCD6wz
— Mumbai Police (@MumbaiPolice) November 15, 2021
ADVERTISEMENT
સોશ્યલ મીડિયામાં લોકોએ કર્યા વખાણ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, પંતનગર પાસે એક ગરનાળામાં એક નવજાત બાળક મળી આવ્યું છે અને બાળકનો જીવ બચાવવા માટે સોશ્યલ મીડિયામાં લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
બિલાડીઓએ કઈ રીતે બચાવ્યો જીવ
નોંધનીય છે કે તે બાળક ગરનાળામાં કઈ રીતે પડ્યું તેની કોઈ જાણકારી નથી, તે બાળકને કોઈ ત્યાં ફેંકી ગયું કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે પરંતુ બાળકનો જીવ બચાવવામાં બિલાડીઓએ મોટો ભાગ ભજવ્યો હતો. ગટરમાં બાળકને પડેલું જોઈને બિલાડીઓએ જોરજોરથી અવાજ કર્યો જે બાદ લોકોની નજર બાળક પર પડી અને તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા તેનો હીવ બચાવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું કે જો બિલાડીએ હંગામો ન મચાવ્યો હોત તો કદાચ તે બાળકનો જીવ બચ્યો જ ન હોત.
બાળક હાલ સુરક્ષિત છે
મુંબઈ પોલીસ ત્યાં પહોંચી અને તરત જ બાળકને રેકસયૂ કરીને તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. હાલ બાળક સુરક્ષિત છે અને સારવાર કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.