ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / maharashtra health ministers big statement on corona

મહામારી / BIG NEWS: ત્રીજી લહેર આવી તો 80 ટકા લોકો થઈ શકે કોરોના સંક્રમિત, આ આરોગ્યમંત્રીના નિવેદનથી ખળભળાટ

Published By: Kavan

Last Updated: 08:11 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સ્થિતિ વધુ ગંભીર છે ત્યારે મહારાષ્ટ્રના આરોગ્યમંત્રીના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે.

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રના આરોગ્યમંત્રીનું સ્ફોટક નિવેદન
  • કહ્યું- ત્રીજી લહેર આવી તો 80 ટકા લોકો થઈ શકે છે સંક્રમિત 
  • મંત્રીના નિવેદનથી મચ્યો હડકંપ 

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ચિંતા વ્યક્ત કરી કે જો ત્રીજી લહેર આવે છે તો 80 લાખ લોકો સંક્રમિત થવાની સંભાવના છે.

મુંબઈમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ

મુંબઈમાં હવે કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસ આંખ ઉઘાડવા પૂરતા છે. 24 કલાકમાં કોરોનાના નવા 10860 કેસ આવ્યાં છે. મુંબઈમાં એક્વિટ કેસની સંખ્યા  47476 થઈ છે.

10,860 New Covid Cases In Mumbai, 89% Are Asymptomatic

દૈનિક કેસનો આંકડો 20,000ને પાર થઈ જશે તો લોકડાઉન-મુંબઈના મેયરની સ્પસ્ટતા

મુંબઈમાં પણ કોરોના અને ઓમિક્રોનના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે અને હવે લોકડાઉનની ચર્ચા છે ત્યારે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે સ્પસ્ટ કરી દીધું છે કે જો મુંબઈમાં દૈનિક કેસનો આંકડો 20,000ને પાર થઈ જશે તો લોકડાઉન લાગુ પાડી દઈશુ.

દિલ્હીમાં કોરોનાના નવા 5481 કેસ

દિલ્હીમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. મંગળવારે પણ દિલ્હીમાં કોરોનાના નવા 5481 કેસ આવ્યાં હતા. રાજ્યમાં સંક્રમણ દર હવે 8.37 ટકા સુધી પહોંચી ગયો છે. આ જીવલેણ વાયરસથી 3 લોકોના મોત પણ થયા છે. સાથે જ 1575 દર્દીઓ પણ સાજા થઈ ગયા છે. રાજ્યની હોસ્પિટલોમાં ૫૩૧ દર્દીઓ દાખલ છે.

દિલ્હીમાં લોકડાઉનનો સરકારનો ઈરાદો નથી-હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈન

દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને એવું જણાવ્યું કે દિલ્હીમાં કેસ વધી રહ્યાં છે અને પોઝિટિવીટી રેટ પણ 8.5 ટકા છે તેમ છતાં પણ સરકારનો લોકડાઉનનો કોઈ વિચાર નથી.

કર્ણાટકમાં ત્રીજી લહેર!

આપને દઈએ કે કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે. સુધાકરે મંગળવારે જ કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે. તેમણે કહ્યું કે કોવિડ ચેપનો દર 0.4 ટકાથી વધીને 1.6 ટકા થયો છે. છેલ્લા 6 મહિનામાં કેસ 0.1 ટકા પણ ન હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus rajesh tope આરોગ્યમંત્રી કોરોના વાયરસ મહારાષ્ટ્ર coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ