ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
એક મકાન ધરાશાયી થતાં 3 લોકોનાં મોત અને 10 લોકો ઘાયલ થયા છે. મુંબઈ પોલીસે આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ શિવાજી નગરના ગોવંડી વિસ્તારમાં એક બે માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ બિલ્ડિંગમાં 13 લોકો રહેતા હતા. ઘાયલ થયેલા 10 લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું મનાય છે.
Maharashtra | Seven people injured, three died after a building collapsed in Govandi area of Mumbai. Details awaited: Mumbai Police
— ANI (@ANI) July 23, 2021
ADVERTISEMENT
ઈમારત જૂની હોવાનું આવ્યું સામે
ADVERTISEMENT
જોકે આજે મુંબઈમાં વરસાદ પડી રહ્યો નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વસ્તી છે. કેટલાક સ્થળોએ, લોકોએ અહીં બે માળના મકાનો બનાવ્યા છે.
ADVERTISEMENT
રાયગઢમાં ભૂસ્ખલનથી 5 લોકોના મોત
મહારાષ્ટ્રમાં વરસાદના કારણે હાહાકારની સ્થિતિ છે. મુંબઈમાં પણ લોકો ભારે વરસાદના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે રાજ્યના રાયગઢમાં ભૂસ્ખલનની ચાર ઘટનાઓ સામે આવી છે. જેના કારણે રસ્તા જામ થઈ ગયા. આ ઘટનામાં સ્થાનીક પોલીસે 15 લોકોને બચાવ્યા જ્યારે ઓછામાં ઓછા 30 લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. આ વચ્ચે 5 લોકોના મોતની ખબર આવી રહી છે. આ વરસાદથી તલાઈ ગામ સુધી જતા રસ્તા વહી ગઈ છે. રાયગઢ જિલ્લા કલેક્ટર નિધિ ચોધરીએ આ જાણકારી આપી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગનું એલર્ટ
ભારત હવામાન વિભાગે શુક્રવાર માટે મુંબઈને ઓરેઝ એલર્ટ આપ્યું છે. અહીં અલગ અલગ સ્થાનો પર ભારેથી વધુ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત IMDએ આવતા 24 અને 25 જુલાઈએ યલો એલર્ટ જાહેર કર્યું છે. જે અલગ અલગ સ્થાનો પર ભારે વરસાદનો સંકેત આપે છે.
ADVERTISEMENT

કોંકણમાં 6000 લોકો ફસાયા, રેસ્ક્યૂ જાહેર થયું
વરસાદના કારણે સ્થિતિ એવી બગડી છે કે કોંકણ રેલ રૂટ પર સર્વિસ ઠપ થવાના કારણે 6000 યાત્રીઓ ફસાઈ ગયા છે. રત્નાગિરિ જિલ્લામાં વરસાદના કારણે રેલ સર્વિસ બંધ થઈ હતી. આકારણે અહીં યાત્રીઓ ફસાયા છે. અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો