બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / 'ગિગ વર્ક સેક્ટરમાં કામ કરે છે બાંગ્લાદેશી-રોહિંગ્યા ઘૂસણખોરો', સ્વિગી- ઝોમેટો સાથે સંકળાયેલા લોકોની થશે કડક તપાસ

નેશનલ / 'ગિગ વર્ક સેક્ટરમાં કામ કરે છે બાંગ્લાદેશી-રોહિંગ્યા ઘૂસણખોરો', સ્વિગી- ઝોમેટો સાથે સંકળાયેલા લોકોની થશે કડક તપાસ

Ajitsinh Jadeja

Last Updated: 07:07 PM, 8 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra: મહારાષ્ટ્રમાં ગિગ વર્કર્સને લઈને રાજકારણ ગરમાયું છે.

Maharashtra: મહારાષ્ટ્રમાં ગિગ વર્કર્સને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો છે કે સ્વિગી અને ઝોમેટો જેવી ગિગ સેક્ટર કંપનીઓમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરો કામ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં ગિગ વર્કર્સની તપાસને લઈને રાજકારણ વધુ ગરમાયું છે. આ સમગ્ર વિવાદ સુરક્ષા, ગેરકાયદે ઇમિગ્રેશન અને રાજકીય આરોપોની આસપાસ ફરે છે. મહારાષ્ટ્ર સરકારે સ્વિગી, ઝોમેટો અને બ્લિંકિટ જેવી કંપનીઓ સાથે સંકળાયેલા ગિગ વર્કર્સ (ડિલિવરી બોય) ની કડક તપાસ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર ટૂંક સમયમાં આ હેતુ માટે SOP રજૂ કરશે.

બાંગ્લાદેશી-રોહિંગ્યા ઘૂસણખોરો કામ કરી રહ્યા છે - કિરીટ સોમૈયા

ભાજપ નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો કે ગિગ વર્ક ક્ષેત્રમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો કામ કરી રહ્યા છે. કેટલાક ગેરકાયદે રીતે રહે છે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જોવા મળ્યા છે. તેથી સોમૈયાએ સરકારને "પાસપોર્ટ વેરિફિકેશનની જેમ ગિગ વર્કર્સની કડક ચકાસણી" લાગુ કરવાની માંગ કરી. અહેવાલો અનુસાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકારે આ માટે સંમતિ આપી છે. ગઈકાલે જ ગૃહ વિભાગ અને શ્રમ વિભાગ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. કડક ચકાસણી અને તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગેરકાયદે રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. એક મહિનાની અંદર SOP તૈનાત કરવામાં આવશે.

ગિગ વર્કર્સની પ્રતિક્રિયા

ગ્રાઉ ન્ડ પર મીલી જુલી પ્રતિક્રિયાઓ રહી છે. કેટલાક ગિગ વર્કર્સ કહે છે કે કડક તપાસ જરૂરી છે કારણ કે થર્ટ પાર્ટી વેરિફિકેશન નબળુ છે અને બહારના લોકોની ઘૂસણખોરી શક્ય છે, અને તેમણે કહ્યું કે ઘણા બાંગ્લાદેશી રોહિંગ્યાએ આ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. ખોટા લોકો અન્ય કામદારો પર શંકા કરે છે. આપણે પરિણામ ભોગવવું પડશે. તેથી તેઓ કડક ચકાસણીને સમર્થન આપે છે. દરમિયાન કેટલાક ગિગ વર્કર્સે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે સરકારે બાંગ્લાદેશી રોહિંગ્યાના નામે મુસ્લિમોને હાંકી કાઢવાનું કાવતરું ન ઘડવું જોઈએ. "અમારી પાસે આધાર અને પાન કાર્ડ છે. અમે બહારના નથી; અમે અહીંના છીએ." સરકારની તપાસ ભેદભાવપૂર્ણ ન હોવી જોઈએ. ધર્મના આધારે કોઈ કાર્યવાહી થવી જોઈએ નહીં. નિષ્પક્ષ ચકાસણી જરૂરી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ખેડૂતો માટે મોટી રાહત: ખરીફ 2026 માટે ₹41,534 કરોડની ખાદ સબસિડી મંજૂર

વિપક્ષનો આરોપ

સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી, AIMIM અને કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર મુસ્લિમોને નિશાન બનાવી રહી છે અને નોકરીઓ છીનવી લેવાનું કાવતરું ઘડી રહી છે. આ "સુરક્ષા" નહી પરંતુ રાજકીય એજન્ડા છે. વિપક્ષ કહે છે કે જો ઘૂસણખોરી થઈ હોય, તો તે સરકારની નિષ્ફળતા છે અને સામાન્ય લોકોને હેરાન ન કરવા જોઈએ. હાલમાં ગિગ વર્કર્સની તપાસનો મુદ્દો સુરક્ષા અને રાજકારણ વચ્ચે ફસાયેલો છે. એ જોવાનું બાકી છે કે સરકારની આગામી એસઓપી આ વિવાદને ઉકેલે છે કે તેને વધુ વધારશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SWIGGY Zomato maharashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ