ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનો ઘોષણા પત્ર બહાર પાડ્યાં બાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાની મર્યાદાઓ ઓળંગી છે. કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાની ઘટનાને મેનિફેસ્ટોમાં ઉમેરવાની વાત કરી છે. આ પાર્ટીનાં વરિષ્ઠ નેતા મધૂસુદન મિસ્ત્રી પ્રધાનમંત્રી મોદી માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો છે. તેમનું આ નિવેદન 2017નાં ટ્રેક મુદા સાથે મેળ ખાય છે કે જ્યારે મણિશંકર અય્યરે પીએમ મોદી પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. મિસ્ત્રીનાં નિવેદનથી રાજ્યમાં રાજનૈતિક તૂફાન આવી શકે છે.
"કોંગ્રેસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી દેશે"
આ પહેલાં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ ઘોષણા પત્ર બહાર પાડ્યું. કોંગ્રેસે વચન આપ્યું કે તે ગુજરાતનાં લોકોને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું, જૂની પેન્શન સિસ્ટમ, 10 લાક સુધીની મફત સારવાર, વિજળીનો બીલ માફ કરશે. આ સિવાય પાર્ટીએ એ પણ ઘોષણા કરી કે જો તે સત્તામાં આવી તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી દેશે. હવે મેનિફેસ્ટોમાં પાર્ટીનાં વચનનો ઉલ્લેખ કરતાં મધૂસુદન મિસ્ત્રીનાં આ આપત્તિજનક નિવદેન નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
ADVERTISEMENT
મિસ્ત્રીએ શું કહ્યું?
તેમણે કહ્યું કે તે ગુજરાતની ચૂંટણમાં પીએમ મોદીને તેની ઔકાત દેખાડશે. પીએમ મોદી જેટલા પણ પ્રયાસો કરી લે તે સરદાર પટેલ નહીં બની શકે. મિસ્ત્રીનાં આ નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓનું ચરિત્ર દેખાય છે. તે દેશનાં પ્રધાનમંત્રી માટે અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યાં છે. ગુજરાતની જનતા તેમને સબક શિખવશે.
સંકળાયેલા મુદ્દાઓ