લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપની જીત થઈ છે. લોકસભામાં ચૂંટાયેલા ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ અને ભરત ડાભીએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામાં આપ્યા છે.
હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. જ્યારે રતનસિંહ રાઠોડ પંચમહાલ બેઠક પરથી સાંસદ ચૂંટાયા છે. તો ભરત ડાભી પાટણ બેઠક પરથી સાંસદ ચૂંટાયા છે. ત્યારે સાંસદ પદના શપથ લેતા પહેલા આજે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું એટલે ખાલી થનારી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.
ખેરાલુના ધારાસભ્ય ભરત ડાભીની પાટણના સાંસદ તરીકે ચૂંટાયા છે. લુણાવાડા બેઠકના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ બેઠક પર સાંસદ ચૂંટાયા છે. જ્યારે અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. સાંસદ પદની શપથ લેતા પહેલા તમામ નેતાઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે એટલે ખાલી થનારી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. બાપુનગર, ખેરાલૂ અને લુણાવાડા વિધાસનભા બેઠક ખાલી થશે. જેથી અહીં પેટા ચૂંટણી યોજાશે.