બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર 20 રૂપિયામાં 200000 રૂપિયાનો વીમો, જાણો કેવી રીતે મળશે આ યોજનાનો લાભ
Last Updated: 11:42 PM, 10 June 2025
ભારત સરકાર દેશના નાગરિકો માટે અલગ-અલગ પ્રકારની અનેક યોજનાઓ ચલાવે છે. વિવિધ લોકોની અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર આ યોજનાઓ અમલમાં મૂકે છે. આજના સમયમાં ઈન્શ્યોરન્સ લોકોના જીવનનો એક અગત્યનો ભાગ બની ગયો છે. ક્યારે લોકોને ઈન્શ્યોરન્સના પૈસાની જરૂર પડી જાય એ કહી શકાતું નથી.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
ઘણા લોકો પાસે ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ ભરી શકાય તેટલા પૈસા નથી હોતાં. એવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સરકાર તરફથી ઈન્શ્યોરન્સનો લાભ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ માત્ર 20 રૂપિયામાં જ 2 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ મળે છે. ચાલો હવે જાણીએ કે કેવી રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.
ADVERTISEMENT

20 રૂપિયામાં 2 લાખનું ઈન્શ્યોરન્સ
ADVERTISEMENT
ભારત સરકારની પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ અકસ્માત વીમા કવર આપવામાં આવે છે. સરકારની આ યોજના ખાસ કરીને ગરીબ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ માત્ર 20 રૂપિયામાં સરકાર 2 લાખનું કવર આપે છે.
આ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ જો કોઈ પૉલિસી ધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો નોમિનીને પૈસા આપવામાં આવે છે. એટલું જ નહીં, જો પૉલિસી ધારક અક્ષમ બની જાય તો પણ તેને પૈસા આપવામાં આવે છે. નોંધનીય છે કે અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી નોમિનીને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે આંશિક રીતે અક્ષમ થવામાં રૂપિયા 1 લાખ આપવામાં આવે છે. અને જો પૉલિસી ધારક સંપૂર્ણપણે અક્ષમ થઈ જાય તો તેને 2 લાખ રૂપિયા મળે છે.
ADVERTISEMENT
દર વર્ષે ભરવો પડે છે પ્રીમિયમ
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં દર વર્ષે 20 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડે છે. વીમા કવરનો સમયગાળો 1 જૂનથી લઈને 31 મે સુધીનો હોય છે. આ યોજના માટે 18થી 70 વર્ષ સુધીનો કોઈપણ ભારતીય નાગરિક અરજી કરી શકે છે. પોતાનાં બેંક ખાતા દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) જઈને આ યોજના માટે ફોર્મ ભરી શકાય છે. આ યોજના હેઠળ પ્રીમિયમની રકમ બેંક ખાતામાંથી ઓટો ડેબિટ થઈ જાય છે.
વધુ વાંચો: કરોડો સરકારી કર્મચારીઓને ફાયદો! ગવર્મેન્ટ હેલ્થ સ્કીમમાં થશે આ મોટા ફેરફાર!
ADVERTISEMENT
વિશેષ નોંધ લેવા જેવી બાબતો
આ યોજનાનો હેતુ ખાસ કરીને બિનસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂર, ખેડૂત, શ્રમજીવી વર્ગ સુધી ઓછા દરે વીમાની સુવિધા પહોંચાડવાનો છે. એક વ્યક્તિ એક જ વાર PMSBY પ્લાન લઈ શકે છે, ભલે તેનાં ઘણા બેંક ખાતાઓ હોય. જો કોઈ વ્યક્તિ આકસ્મિક મૃત્યુ અને અપંગતા બંને માટે અલગ-અલગ યોજનાઓમાં નોંધણી કરે છે, તો તેને બંનેથી લાભ મળવો શક્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.