રાષ્ટ્રપતિની સુરક્ષા બેડામાં ઘણાં વર્ષોથી કાર્યરત ઘોડો વિરાટ આજે થયો રિટાયર. વિરાટને રાષ્ટ્રપતિના બોડીગાર્ડ કમાંડેટ કર્નલ અનૂપ તિવારીના ચાર્જર રૂપે સમ્માન પણ આપવામા આવ્યું હતુ
PM મોદીએ કર્યો દુલાર
'વિરાટ' 13 વાર ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લઇ ચુક્યો છે.
Commendation Card તરફથી પણ સમ્માન મળ્યું હતું.
PM મોદીએ કર્યો દુલાર
'વિરાટ' જ્યારે 73માં ગણતંત્ર દિવસની પરેડમાં પહોંચ્યો હતો ત્યારે PM મોદી પણ તેને દુલાર કરવાથી ખુદને રોકી ન શક્યા. PM મોદીએ 'વિરાટ'ને પ્રેમથી પંપાળ્યો. રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ 'વિરાટ'ને પંપાળી રહ્યા હતા. અસલમાં, 'વિરાટ' એકમાત્ર ઘોડો છે જે 13 વાર ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લઇ ચુક્યો છે. આ જ કારણ છે કે આજે 'વિરાટ'ને શાનદાર રીતે રિટાયર કરવામાં આવ્યો.
'વિરાટ'ની યોગ્યતાઓ તથા સેવાઓને ધ્યાનમાં રાખીને તેને ઘણી વાર સમ્માનિત કરવામાં આવ્યો છે. ;વિરાટ' રાષ્ટ્રપતિના અંગરક્ષક પરિવારમાં શામેલ રહ્યો છે તથા તેને પ્રેસિડેન્ટસ બોડીગાર્ડનો ચાર્જર પણ કહેવામાં આવે છે.
સેના દિવસ પર મળ્યું મોટું સમ્માન
'વિરાટ'ને સેના દિવસ 2022 ના અવસર પર ચીફ ઓફ આર્મી સ્ટાફ કોમનડેશન કાર્ડ કરફથી પણ સમ્માનિત કરવામાં આવી ચુક્યો છે. 'વિરાટ' રાષ્ટ્રપતિના અંગરક્ષકનો પહેલો ચાર્જર છે જેને Commendation Card તરફથી પણ સમ્માનિત કરાયો છે.