બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Keeping these things house will not cause financial hardship
Last Updated: 05:34 PM, 11 April 2024
વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઊર્જા પર આધારિત છે. સકારાત્મક ઊર્જા હોય તો ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જ્યારે નકારાત્મક ઊર્જા જીવનને પરેશાનીઓથી ભરી દે છે.વાસ્તુ અનુસાર ઘરની અંદર કેટલીક વસ્તુઓ રાખવાને કારણે આર્થિક તંગીથી ઝડપથી છુટકારો મળે છે. આ વસ્તુઓ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવશે જેને કારણે મુશ્કેલીઓથી છુટકારો મળશે અને આર્થિક રીતે મજબુત બની શકાશે.
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્રમાં પિરામિડનું ખાસ મહત્વ હોય છે. ઘરમાં પિરામિડ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. ઘરમાં ચાંદી, પીતળ અથવા તાંબાનું પીરામિડ રાખતાથી આર્થિક તંગી દૂર થાય છે. આ પિરામિડને એવી જગ્યાએ રાખવી જ્યા ઘરના દરેક સદસ્ય બેસતા હોય છે.
ADVERTISEMENT
આપણા ઘરમાં સકારાત્કમ ઉર્જા રહે તે માટે અને આર્થિક રીતે પરિવાર સક્ષમ બને તેના માટે પંચમુખી હનુમાનજી ની મૂર્તિ કે ફોટોને ઘરમાં લગાવવો જોઇએ. આ ફોટો ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થાપિત કરો અને દરેક દિવસ તેની પૂજા કરો. પંચમુખી હનુમાનજીની મૂર્તિ રાખવાથી દરિદ્રતા દૂર થાય છે.
પૂજા સ્થળ પર લક્ષ્મીમાતાના પદ્મ ચિન્હ અને ભગવાન કુબેરની ફોટો રાખવી શુભ માનવામાં આવે છે. મા લક્ષ્મીને ધનની દેવી કહેવાય છે અને ભગવાન કુબેર ધન-સમૃધ્ધીના દેવતા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પ્રવેશ દ્વાર પર લક્ષ્મી-કુબેરની ફોટો હોવી જોઇએ. તેનાથી આર્થિક તંગી પૈસાની ખેચ પુરી થઇ જાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક ઘરમાં પાણીથી ભરેલી સુરાહી હોવી જોઇએ. આ ઘરની ઉત્તર દિશામાં રાખવી ખૂબ જ શુભ મનાય છે. તમે સુરાહીની જગ્યાએ નાનો ઘડો પણ રાખી શકો છો. આ ઘડામાં પાણી ભરેલુ રાખવું જોઇએ. મનાય છે કે તેનાથી ઘરમાં ધનનું આગમન કાયમ રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે આ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતા નથી)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.