ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / કરવા ચોથ 2026: 29 ઓક્ટોબરે રખાશે સૌભાગ્યનું વ્રત, જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:47 PM, 12 September 2026
1/5
હિંદુ ધર્મમાં પરિણીત મહિલાઓ માટે અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ ગણાતું કરવા ચોથનું વ્રત (Karwa Chauth 2026) આ વર્ષે 29 ઓક્ટોબર 2026, ગુરુવારના રોજ ઊજવવામાં આવશે. કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવતા આ વ્રતને 'કરક ચતુર્થી' તરીકે પણ ઓળખવામાં આવે છે. પતિના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દામ્પત્ય જીવનની મનોકામના સાથે મહિલાઓ આ દિવસે સૂર્યોદયથી લઈને રાત્રે ચંદ્રદર્શન સુધી નિર્જળા વ્રત રાખે છે.
2/5
ADVERTISEMENT
3/5
કરવા ચોથનું વ્રત ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ જ પૂર્ણ થાય છે. 29 ઓક્ટોબરના રોજ વિવિધ શહેરોમાં ચાંદ નીકળવાનો આશરે સમય નીચે મુજબ રહેશે: અમદાવાદ: રાત્રે 8:52 વાગ્યે મુંબઈ: રાત્રે 9:00 વાગ્યે દિલ્હી: રાત્રે 8:17 વાગ્યે જયપુર: રાત્રે 8:28 વાગ્યે પુણે: રાત્રે 8:58 વાગ્યે કોલકાતા: રાત્રે 7:47 વાગ્યે (નોંધ: સ્થાનિક પંચાંગ મુજબ દરેક શહેરમાં સમયમાં થોડી મિનિટોનો તફાવત હોઈ શકે છે.)
4/5
વ્રતના દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલાં સાસુ દ્વારા વહુને 'સરગી' આપવામાં આવે છે, જેમાં ફળ, મિઠાઈ, સુકો મેવો અને પૌષ્ટિક આહાર શામેલ હોય છે. આ ખોરાક દિવસભર વ્રત રાખવા માટે ઊર્જા આપે છે. સાંજે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરીને ભગવાન શિવ, માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ