ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ''27 વખત નગ્ન કરી, અને 3વાર...'', એકસમયે તિહાડ જેલમાં તડપતી એકટ્રેસનો ચોંકાવનારો ખુલાસો
5 ફોટો ગેલેરી
Last Updated: 04:27 PM, 12 September 2026
1/5
સંદીપા વિર્ક અવારનવાર અલગ અલગ ઇન્ટરવ્યૂમાં જેલમાં વિતાવેલા ભયાનક પળો વિશે વાત કરતી જોવા મળે છે. તાજેતરમાં જ તેમણે જેલના જીવનની કડવી વાસ્તવિકતા વિશે ખુલીને વાત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન સંદીપાએ જણાવ્યું કે, જેલમાં સુરક્ષા તપાસ અત્યંત કડક હોય છે. કેદીઓને વારંવાર કપડાં ઉતારવા માટે મજબૂર કરવામાં આવે છે અને અનેક કિસ્સાઓમાં તેમની નગ્ન અવસ્થામાં તપાસ કરવામાં આવે છે, આ અનુભવ યાતના સમાન હોય છે.
2/5
સંદીપાએ કહ્યું કે, જેલની અંદર પણ માણસ કેદ જ રહે છે. ત્યાં યોગ્ય ખોરાક મળતો નથી. તેઓ વારંવાર એકસરખો જ ખોરાક પીરસે છે. માત્ર બે ચમચી શાક અને એવી ચા જે સાદા પાણી જેવી પાતળી હોય છે. સંદીપાએ કહ્યું કે, જેલમાં જનારા લોકો કરતાં ફૂટપાથ પર સૂનારા લોકોની સ્થિતિ વધુ સારી હોય છે. જેલમાં જીવન બરબાદ થઈ જાય છે, માણસને બસ મરી જવાનું મન થાય છે.
ADVERTISEMENT
3/5
સંદિપાએ જણાવ્યું કે જેલમાં જેની પાસે પૈસા હોય છે તેમને ફોનની સુવિધા પણ આપવામાં આવે છે. અભિનેત્રીએ કહ્યુ કે, જો તમારી પાસે પૈસા હોય, તો તમે જેલની અંદર કંઈ પણ કરી શકો છો. સુરક્ષા તપાસ વિશે વાત કરતાં સંદિપાએ ઉલ્લેખ કર્યો કે તિહાર જેલમાં મહિલા કર્મચારીઓ તપાસ કરે છે. તેઓ ગુપ્તાંગો પર ટોર્ચનો પ્રકાશ નાખે છે, મોટા સ્તન ધરાવતી મહિલાઓના સ્તનની શારીરિક તપાસ કરે છે અને મોઢુ ખોલીને તપાસ કરે છે, તેમજ વાળ ખુલ્લા કરાવીને તપાસ કરે છે.
4/5
સંદિપાએ કહ્યું, જેલ અને કોર્ટ વચ્ચેની અવરજવર દરમિયાન સુરક્ષા તપાસ કરવામાં આવે છે. કોર્ટમાં જતાં પહેલાં મહિલા પોલીસ અધિકારીઓ મારી તલાશી લે છે. આ તપાસ માટે મારે એક જ દિવસમાં ત્રણ વાર નગ્ન થવું પડે છે." તેમણે ઉમેર્યું, "મારે દર 14 દિવસે કોર્ટમાં હાજર રહેવું પડે છે. તે હિસાબે અત્યાર સુધીમાં 27 વાર મને નિર્વસ્ત્ર કરવામાં આવી છે. સવાર અને સાંજની શિફ્ટ દરમિયાન ફરજ પરના કર્મચારીઓ અલગ-અલગ હોવાથી, દરરોજ ત્રણ અલગ-અલગ કેદીઓએ મને તે હાલતમાં જોઈ છે."
ADVERTISEMENT
5/5
સંદીપાએ જણાવ્યું કે જેલમાં સેનિટરી પેડ્સ પૂરા પાડવામાં આવતા નથી. ત્યાંના શૌચાલયો અત્યંત ગંદા છે અને સ્વચ્છતાના અભાવને કારણે મહિલાઓમાં ચેપ ફેલાય છે. તેમણે ઉલ્લેખ કર્યો કે કેદીઓએ એકબીજાની સાવ નજીક ગીચતામાં સૂવું પડે છે અને જીવજંતુઓ તેમના શરીર પર ફરે છે. જે સ્પર્શ થતાં જ શરીરને ચોંટી જાય છે. પોતાની આપવીતી વર્ણવતી વખતે સંદીપા ભાવુક થઈ ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ