ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ક્યાંક 100 રૂપિયા તો ક્યાંક 50 રૂપિયે કિલો શાકભાજી, તફાવત ગૃહિણીઓ માટે બન્યો ચર્ચાનો વિષય
Last Updated: 04:02 PM, 12 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં હાલમાં શાકભાજીના ભાવમાં વિચિત્ર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. શહેરના એક વિસ્તારમાં જે શાકભાજી રૂ. ૧૦૦ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે, તે જ શાકબાજી બીજા વિસ્તારમાં રૂ. ૫૦માં કિલો મળી રહ્યાં છે. ખાસ કરીને એક જ શાકના ભાવમાં વિસ્તાર પ્રમાણે થતો આ તફાવત ગૃહિણીઓ માટે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT

વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં પર્યુષણ પર્વ ચાલી રહ્યું હોવાથી કેટલાક વિસ્તારોમાં શાકભાજીના વેચાણમાં ઘટાડો થયો છે. જૈન પરિવારો સહિત કેટલાક ગ્રાહકો દ્વારા શાકભાજીની ખરીદી ઓછી કરવામાં આવતી હોવાથી આવા વિસ્તારોમાં વેપારીઓને માલ ઝડપથી વેચવો પડે છે. તેના કારણે કેટલીક જગ્યાએ શાકભાજીના ભાવમાં કામચલાઉ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
બીજી તરફ, જ્યાં સામાન્ય રીતે શાકભાજીની માગ વધુ રહે છે ત્યાં ભાવમાં ખાસ ઘટાડો થયો નથી. પરિણામે શહેરમાં માગ, વિસ્તાર અને વેચાણની સ્થિતિ પ્રમાણે એક જ શાકના ભાવમાં ૫૦ ટકા સુધીનો તફાવત જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે આ ઘટાડો કાયમી નથી. પાર્યુષણ પર્વ પૂર્ણ થયા બાદ શાકભાજીની માગમાં વધારો થશે તો કેટલાક વિસ્તારોમાં ભાવ ફરી વધી શકે છે. હાલ જોકે ઓછી માગ ધરાવતા વિસ્તારોમાં ગ્રાહકોને કેટલાંક શાકભાજી અગાઉની સરખામણીએ સસ્તાં મળી રહ્યાં છે.
ADVERTISEMENT
આ સ્થિતિમાં ગ્રાહકો પણ નજીકના એક જ બજાર પર આધાર રાખવાને બદલે અલગ અલગ વિસ્તારમાં ભાવની સરખામણી કરી ખરીદી કરી રહ્યા છે. શહેરમાં ‘એક વિસ્તારનો ભાવ અલગ, બીજા વિસ્તારનો ભાવ અલગ’ એવી સ્થિતિથી શાકભાજીના બજારમાં ભાવની અસમાનતા સ્પષ્ટ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગણેશ વિસર્જન માટે અમદાવાદમાં AMCએ બનાવ્યા 47 કૃત્રિમ કુંડ, કરાયું અદભુત આયોજન
આ ભાવ તફાવત પાછળ માત્ર પર્યુષણની અસર જ નહીં, પરંતુ માલની આવક અને ગુણવત્તાનો પણ ફાળો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. માર્કેટ યાર્ડમાંથી વહેલી સવારે આવતો જથ્થો જે વિસ્તારમાં વધુ પહોંચે છે ત્યાં તાજા માલના ભાવ અલગ રહે છે, જ્યારે જૂનો અથવા વધુ જથ્થો પડ્યો હોય ત્યાં વેપારીઓ ભાવ ઘટાડીને વેચાણ કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT