બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Kalasarpa dosha is caused by the special position of other planets along with Rahu and Ketu

જ્યોતિષ / જિંદગીને નરક સમાન બનાવી દેતા કાલસર્પ દોષથી મુક્તિ પામવાની તક: મહાસંકટ નિવારવા આ દિવસે કરો 5 ચમત્કારિક ઉપાય

Published By: Mahadev Dave

Last Updated: 06:35 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાલસર્પ દોષ જિંદગીને નરકના દ્વારે ધકેલી દે છે. જેમાં માનવીને નોકરી, પૈસા, સંતાન, સ્વાસ્થ્ય સાથે કોઈ પણ સુખ મળતું નથી ત્યારે જાણો તેના ઉપાય વિષે!

  • રાહુ અને કેતુની સાથે અન્ય ગ્રહોની વિશેષ સ્થિતિથી બને છે કાલસર્પ દોષ
  • સપનામાં સાંપ દેખાઈ અને આવે છે મોતના ડરામણા સપના
  •  જ્યોતિષશાસ્ત્રમાં બતાવાયા છે કેટલાક સંકેતો

11 જાન્યુઆરીના દિવસે પૌષ અમાસ આવી રહી છે. પોષ અમાસના દિવસે જે રીતે પિતૃ દોષના ઉપાય કરવામાં આવે છે. એવી જ રીતે કાલસર્પ દોષના ઉપાય પણ કરવામાં આવે છે. કુંડળીમાં રાહુ અને કેતુની સાથે અન્ય ગ્રહોથી બનનારા વિશેષ સ્થિતિથી કાલસર્પ દોષ ઉત્પન્ન થાય છે. કાલસર્પ દોશના કારણે વ્યક્તિનું જીવન પ્રભાવિત થાય છે. જ્યારે કાલસર્પ દોષ હોય તો તેના કેટલાક સંકેત પણ જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલા છે. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય પુરીના જ્યોતિષાચાર્ચ ડો. ગણેશ મિશ્ર પાસેથી જાણીએ કાલસર્પ દોષથી મુક્તિના ઉપાય વિશે.

Astrology Know Kalasarpa Dosha in your Kundli

કાલસર્પ દોષ શું છે?
જ્યોતિષાચાર્ય અનુસાર કુંડળીમાં જ્યારે રાહુ અને કેતુ એક તરફ હોય અને બાકીના ગ્રહ બીજી તરફ હોય ત્યારે કાલસર્પ દોષ બને છે. કુંડળીમાં પ્રમુખ રૂપથી 12 પ્રકારના કાલસર્પ દોષ જણાવવામાં આવ્યાં છે. પરંતુ કાલસર્પ દોષની સંખ્યા 288 સુધી હોય છે.

વધુ વાંચો:આ દિવસે ચપ્પલ-બુટ ખરીદતા પહેલા 100 વાર વિચારજો! 90 ટકા લોકો કરે છે ભૂલ, શનિ દોષ થતાં અશુભ ઘડી આવશે

કાલસર્પ દોષના સંકેત

  • જેની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે. તેને સપનામાં સાંપ દેખાઈ છે અથવા તો પોતાના જ મૃત્યુના સપના આવે છે.
  • કાલસર્પ દોષના કારણે કરિયરમાં અનેક પ્રકારની બાધા આવે છે. જેથી તરક્કી થતી નથી.
  • કાલસર્પ દોષ હોવાના કારણે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારૂ રહેતુ નથી. આ સાથે ધનની કમીના કારણે પરેશાન રહે છે.
  • કાલસર્પ દોષનાકારણે વ્યક્તિને સંતાન સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  • કાલસર્પ દોષના કારણે વૈવાહિક જીવન તનાવપૂર્ણ રહે છે. પતિ-પત્ની વચ્ચે વાદવિવાદ થાય છે.

જાણો ઉપાય શું છે?

  • પોષ અમાસના દિવસે તમે નવગ્રહની શાંતિ અથવા તો રાહુ-કેતુની શાંતિ માટે પૂજા કરાવી શકો છો. સાથે જ રાહુકાળ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
  • કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે ચાંદીના સાપ અને નાગની બે જોડી બનાવવી. પોષ અમાસના દિવસે ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવી.ભગવાન શિપને સાપની જોડી અર્પણ કરવી જોઈએ. બીજી જોડીને ગંગા નદીમાં પ્રવાહિત કરી અને ભગવાન શિવને પ્રાર્થના કરવી.
  • કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો પણ લાભદાઈ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી તમારી સમસ્યાઓ દૂર થશે અને ખુશીઓ આવશે.
  • દરરોજ ભગવાન શિવની નિયમિત રીતે પૂજા કરવી અને શિવ તાંડવ સ્તોત્ર વાંચવો.
  • કોણ પણ નદીમાં તમારે મસૂરની દાળ અને આખું નારિયેળ નદીમાં પ્રવાહિત કરવુ. સાથે જ શનિવારે કોલસાના ટુકડા નદીમાં પ્રવાહિત કરવા.  પીપળના ઝાડની પૂજા કરી વખત પ્રદક્ષિણા કરવી. આ સિવાય તમે ગરીબ લોકોને ધાબળાનું દાન કરવું.

સંકળાયેલા મુદ્દાઓ

Kaal Sarp Dosh Upay Kalasarpa Dosha કાલસર્પ દોષ કાલસર્પ દોષના ઉપાય જ્યોતિષશાસ્ત્ર પોષ અમાસ મહાસંકટ kaal sarp dosh upay

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ