બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Vishal Khamar
Last Updated: 06:59 PM, 1 October 2023
વડોદરા-ભરૂચમાં યાત્રા પર પથ્થરમારા મામલે મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં અમદાવાદમાં કાજલ હિન્દુસ્તાનીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કાજલ હિન્દુસ્તાનીની સુન્ની મુસ્લિમ સમાજનાં આગેવાનોને અપીલ કરી છે. ગંગા-જમુની તેહજીબ છે તેને સાચવો. દર શુક્રવારે બ્રેન ડેડ ઝોમ્બિસ હાથમાં પત્થર લઈને નીકળી પડે છે. તમારા સમાજમાં રહેલા અસામાજીક તત્વોને આયસોલેટ કરો અને આવા લોકોને વકીલ પૂરા ન પાડો. પોલીસે વડોદરાની ઘટનામાં કાર્યવાહી કરીએ માટે સરકાર અને ગૃહમંત્રીનો આભાર માન્યો હતો. જૂનાગઢમાં મુસ્લિમોએ પોલીસ અને પોલીસચોકી પર હુમલાઓ કરે છે. પોલીસ રક્ષણ માટે લાઠીચાર્જ કરે તો કાયદાકીય લડતની વાતો કરે છે. જે લોકો આ કામ કરી રહ્યા છે તેમનાં પાછળ એક મોટું ષડયંત્ર લાગી રહ્યું છે.
આ કાર્યક્રમનુ આયોજન સ્પેશ્યલ મહિલાઓ માટે કરેલ છેઃ કાજલ હિન્દુસ્તાની
આ બાબતે કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું હતું કે, આજે મારે પ્રેરણા પીઠમાં આવવાનું થયું છે. બહુ સુંદર અને સરસ આયોજન કરેલ છે. વર્લ્ડ રેકોર્ડ અમે બનાવવા જઈ રહ્યા છીએ. હર્ષદભાઈ અને તેમની ટીમે ખૂબ જ સરસ કામ કર્યું છે. આપણે એક વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ. આખી સંસ્થાએ બહુ સરસ કામ કર્યું છે. આપણે જે વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ મન કી બાતનો ખબર છે કે મોદીજી કાયમ મન કી બાતમાં દેશની વાત કરે છે. મહિલા શસક્તિકરણની વાત કરે છે. આ કાર્યક્રમનુ આયોજન સ્પેશ્યલ મહિલાઓ માટે કરેલ છે. જેમાં મારૂ પણ આવવાનું થયું છે. અત્યાર સુધી હજારેક મહિલાઓએ વાંચન કરી લીધુ છે અને 521 કલાક જેટલું વાંચન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ. આ સમગ્ર આયોજન મહિલાઓ માટે છે.
ખેડામાં છેલ્લા સાત મહિનામાં ત્રણ હિન્દુ દિકરીઓએ આપઘાત કર્યાઃ કાજલ હિન્દુસ્તાની
વડોદરામાં થયેલ પથ્થરમારાની ઘટનાં બાબતે કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું હતું કે, હું સૌ પ્રથમ તો ગુજરાતનાં શાસન, પ્રશાસન, પોલીસ, ગુજરાત સરકાર, ગૃહ રાજ્ય મંત્રીનો આભાર વ્યક્ત કરુ છું. મારા નિવેદનને એ લોકોએ ધ્યાનમાં લીધું. પછી કાર્યવાહી કરી અને જે દોષિત હતા એ લોકોને પકડ્યા પણ છે. અને મને ખાત્રી છે કે લો એન્ડ ઓર્ડર ગુજરાતનું બહુ મજબૂત છે અને આવા અસામાજીક તત્વોનું બિલકુલ પણ ચલાવવામાં નહી આવે એની પણ ખાત્રી છે. ખેડામાં અસામાજીક તત્વોનો ત્રાસ ખૂબ વધી ગયો છે. ખેડામાં છેલ્લા સાત મહિનામાં ત્રણ હિન્દુ દિકરીઓએ આપઘાત કર્યા છે. જેમાં એક તો પોલીસકર્મીની દિકરીએ પણ આપઘાત કર્યો છે. તેમજ સુન્ની મુસ્લિમ સમાજને પણ અપીલ કરી હતી કે આવા અસામાજીક તત્વોને સમાજ બહાર કરો. તેમજ તમારા સમાજમાં રહેલા અસામાજિક તત્વોને આયસોલેટ કરો અને આવા લોકોને વકીલ પૂરા ન પાડો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime