'જોધા અકબર' શોમાં મનીષાએ સલીમા બેગમની ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ્સની માનીએ તો તેને બ્રેન હેમરેજ થયું હતું. જે બાદ તેણે અંતિમ શ્વાસ લીધા. કો-સ્ટાર પરિધિ શર્માએ આ વાતની પુષ્ટિ સોશિયલ મીડિયા પર કરતા પોસ્ટ પણ કરી હતી. પરિધિની એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે હા, મનીષાનું બ્રેન હેમરેજને કારણે નિધન થઈ ગયું છે. જોકે, હું તેની સાથે વધુ ટચમાં નહોતી.
પરિધિએ કહ્યું કે 'જોધા અકબર' વોટ્સએપ ગ્રુપમાં એક શખ્સે આ જાણકારી આપી જો અમે બધાં શોક્ડ થઈ ગયા. મનીષા પણ આ ગ્રુપમાં હતી. મેં છેલ્લે મનીષા સાથે ક્યારે વાત કરી હતી મને યાદ નથી, જોકે, વોટ્સએપ ગ્રુપમાં અમારી વાત થતી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં જ મનીષા તેના દિકરાનો પહેલો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તેણે ફોટોઝ શેર કરતા એક પોસ્ટ પણ શેર કરી હતી.
Happy 1st Birthday my precious baby!!!♥️🧿
My little rainbow boy💙you have been such a light in my life during a season of a hard year. I’m so blessed and thankful to be your mumma. I love you so much♥️♥️♥️ pic.twitter.com/GCxy5h4eWn
મનીષા યાદવના ઓનસ્ક્રીન દિકરા શીઝાને 'જોધા અકબર'માં સુલ્તાન મુરાદ મિર્ઝાની ભૂમિકા ભજવી હતી. મનીષાના નિધનના સમાચાર સાંભળી તે શોક્ડ થઈ ગયો. તેણે કહ્યું મને ઝટકો લાગ્યો છે. તેઓ ઓનસ્ક્રીન મારા પહેલાં મધર હતા. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે મનીષા હવે આપણી વચ્ચે નથી.