બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Manisha Jogi
Last Updated: 08:57 AM, 15 January 2024
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન INSAT-3DS સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. INSAT-3DS સેટેલાઈટ ‘જિયોસિંક્રોનસ લોન્ચ વ્હીકલ (GSLV-F14)’ એડવાન્સ્ડ રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવશે. ઈસરોના સિનિયર અધિકારીઓએ જણાવ્યું કે, ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. ઈસરોએ 2024ના પહેલા બે સપ્તાહમાં આ સફળતા મેળવી છે અને બીજા મિશનની તૈયારી કરી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ઈસરો અધિકારીઓએ જણાવ્યું કે, ‘આ સેટેલાઈટ જાન્યુઆરીમાં લોન્ચ કરવાનું હતું, પરંતુ હવે આ સેટેલાઈટ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. આ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ સાથે જોડવામાં આવી રહ્યું છે.’
વધુ વાંચો: 2028 સુધીમાં ભારત પાસે હશે ખુદનું 'સ્પેસ સ્ટેશન'
મિશન લોન્ચ
ભારતના અલગ અલગ હિસ્સાઓમાં ઋતુ બદલાતી રહે છે, કોઈ સ્થળે વરસાદ થવાની સંભાવના રહે છે અને કોઈ સ્થળે નહિવત્ વરસાદ હોય છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં અનેક ચક્રવાતી તોફાન આવે છે. જળવાયુ પરિવર્તન એક ગંભીર સમસ્યા છે અને ભારત આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. બદલાતા વાતાવરણ પર નજર રાખવા માટે સ્પેસમાં સેટેલાઈટની જરૂર હોય છે.
ભારતીય હવામાન વિભાગ બદલાતા વાતાવરણ પર નજર રાખવા માટે ‘ક્લાઈમેટ ઓબ્ઝર્વેટરી સેટેલાઈટ મોકલવા માંગે છે. INSAT-3DS મિશન હેઠળ વાતાવરણ પર નજર રાખવા માટે સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. ક્લાઈમેટ સર્વિસમાં સુધારા માટે IMDના સહયોગથી આ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે. પૃથ્વીના બદલાતા જળવાયુ પર નજર રાખવા માટે આવકાશમાં INSAT-3D અને INSAT-3DR અગાઉથી જ ઉપસ્થિત છે.’
GSLV રોકેટથી લોન્ચિંગ
આઠ મહિનામાં પહેલી વાર GSLV લોન્ચ કરવામાં આવશે. આ રોકેટ મહત્તમ ક્ષમતા ધરાવે છે અને ત્રણ સ્ટેજ માટે ‘ક્રાયોજેનિક લિક્વિડ પ્રોપેલેંટ્સનો’ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લિક્વિડ ઈંધણન ઉપયોગ કરવો મુશ્કેલ છે, પરંતુ વધુ ક્ષમતા સાથે લિફ્ટ ઓફ કરવાની તાકાત ધરાવે છે. આ ભારતનું બીજુ PSLV રોકેટ છે, જેમાં સોલિડ ફ્યૂઅલનો ઉપયોગ કરવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime