ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:16 AM, 12 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની હાલની ક્ષમતાઓનો ઉપયોગ કરીને 2028 સુધીમાં પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપવા માંગે છે. તેમણે આ વાત 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સંદર્ભમાં આયોજિત સેમિનારને સંબોધિત કરતાં સમયે કહી હતી.
પ્રયોગશાળા
તેમણે કહ્યું કે અમે અમારી હાલની પ્રક્ષેપણ ક્ષમતાઓનો ઉપયોગ કરીને 2028 સુધીમાં પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપિત કરીશું. લોકો આવીને પ્રયોગ કરી શકે તે માટે અમે આ સ્પેસ સ્ટેશનને પ્રયોગશાળામાં રૂપાંતરિત કરવા માંગીશું.
ADVERTISEMENT

વાંચવા જેવું: અમિત શાહની ઉપસ્થિતિમાં આજે વાઈબ્રન્ટ સમિટનું સમાપન, વિવિધ આંકડાઓ કરાશે જાહેર
ADVERTISEMENT
ભારતીય સ્પેસ સ્ટેશનનો ઉપયોગ
ISROના વડાએ કહ્યું કે સ્પેસ સ્ટેશનની સ્થાપના પછી, ISRO એવી કંપનીઓ અને સંસ્થાઓની શોધ કરશે જે ભારતીય સ્પેસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે અને તેના દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય. સોમનાથે કહ્યું કે, તેમનું માનવું છે કે આ શક્ય છે.
ચંદ્ર પર માણસનાં પહોંચવાથી શું અસર થઈ શકે
સોમનાથે કહ્યું કે ચંદ્ર પર માણસનાં પહોંચવાથી પણ આર્થિક અસર થશે, કારણ કે ભવિષ્યમાં માત્ર પૃથ્વીની આસપાસ જ વ્યૂહાત્મક પ્રવૃત્તિઓ નહીં થાય. તેમણે કહ્યું કે આગામી 5 થી 10 વર્ષમાં ઉદ્યોગોએ પૃથ્વી પર વિવિધ કાર્યો માટે સેંકડો અવકાશયાન બનાવવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ