બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:14 PM, 20 June 2026
યુદ્ધવિરામના થોડા કલાકો બાદ ઇઝરાયલે ફરીથી લેબનોન પર બોમ્બમારો કર્યો છે જેમાં 16 લોકો માર્યા ગયા છે. જેમાં ઇઝરાયલે જણાવ્યું હતું કે આ હુમલા હિઝબુલ્લાહ દ્વારા છોડવામાં આવેલા રોકેટના જવાબમાં હતા પરંતુ હિઝબુલ્લાહે આ વાતનો ઇનકાર કર્યો હતો. લેબનોનની સ્ટેટ સમાચાર એજન્સી, NNA મુજબ ઇઝરાયલી લડાકુ વિમાનો અને ડ્રોન દ્વારા સાઉથ લેબનોન અને બેકા વેલીના અનેક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સાઉથ લેબનોનના ટાયર જિલ્લાના બારિશ શહેરમાં ત્રણ માળની રહેણાંક ઇમારત પર થયેલા હુમલામાં એક પિતા, માતા અને તેમના બે બાળકો માર્યા ગયા હતા. લેબનોની સેનાએ આરોપ લગાવ્યો હતો કે ઇઝરાયલી હુમલામાં તેનો એક સૈનિક પણ માર્યો ગયો છે અને કહ્યું છે કે આવી કાર્યવાહીથી પ્રદેશમાં સ્થિરતા રિસ્ટોર કરવાના પ્રયાસોને નુકસાન થાય છે.
ADVERTISEMENT
🇮🇱🇱🇧 Footage of another round of city-wide Israeli airstrikes on Nabatieh, Lebanon, 7 miles from the Israeli border.
— Mario Nawfal (@MarioNawfal) June 20, 2026
Israel still regards the area as a "combat zone" and said strikes will continue for the foreseeable future.
Writer: Mhedipic.twitter.com/hrupAdEIOP https://t.co/Y6WfAnYAWx
આ અંગે ઇઝરાયલી લશ્કરી અધિકારીએ દાવો કર્યો હતો કે, હિઝબુલ્લાહે શુક્રવારે રાત્રે સાઉથ લેબનોનમાં તૈનાત ઇઝરાયલી દળો પર 50 થી વધુ રોકેટ છોડ્યા હતા જેના કારણે હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલા થયા છે. પણ હિઝબુલ્લાહે આ હુમલાઓની જવાબદારી સ્વીકારી નથી.
ADVERTISEMENT
શુક્રવારથી યુએસ-મધ્યસ્થી યુદ્ધવિરામ અમલમાં આવ્યુ છે. જેમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ બંનેએ આની પુષ્ટિ કરી હતી પરંતુ યુદ્ધવિરામ બાદના દિવસે ફાટી નીકળેલી હિંસાએ તેની સ્થિરતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ હુમલાને અમેરિકા અને ઈરાન વચ્ચેના તાજેતરના ઈંટરીમ એગ્રીમેન્ટ માટે પડકાર તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. કેમ કે તે એગ્રીમેન્ટની મુખ્ય શરત લેબનોનમાં સંઘર્ષનો અંત છે.

ADVERTISEMENT
હિઝબુલ્લાહના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઇઝરાયલી ફોર્સ લેબનીઝ રીઝનમાં હાજર રહેશે ત્યાં સુધી રેઝિસ્ટન્સ રહેશે. આ સંગઠન ઇઝરાયલને રહેવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપશે નહીં. તેમને જણાવ્યું હતું કે ઇઝરાયલ હજુ પણ લેબનીઝ પ્રદેશના કેટલાક ભાગો પર કબજો કર્યો છે.
ADVERTISEMENT
ઇઝરાયલી સૈન્યના અરબી ભાષાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જો હિઝબુલ્લાહ તેની હોસ્ટાઈલ એક્ટિવિટી અને કરારોનું ઉલ્લંઘન બંધ કરે તો શાંતિ જાળવી શકાય છે. તેમને જણાવ્યું હતું કે ઇઝરાયલની લશ્કરી હાજરીનો હેતુ નાગરિકોને નુકસાન પહોંચાડવાનો નથી પરંતુ સુરક્ષા જોખમોને દૂર કરવાનો અને હિઝબુલ્લાહના લશ્કરી માળખાને તોડી પાડવાનો છે.
ADVERTISEMENT
લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2 માર્ચથી ઇઝરાયલી હુમલાઓમાં મહિલાઓ, બાળકો અને મેડિકલ કર્મચારીઓ સહિત 3912 લોકો માર્યા ગયા છે. આ દરમિયાન ઇઝરાયલી અધિકારીઓ કહે છે કે, તાજેતરના સંઘર્ષમાં 32 સૈનિકો અને 4 નાગરિકો માર્યા ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.