બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:18 AM, 9 January 2024
ADVERTISEMENT
ઘરમાં વાસ્તુ દોષ હોય તો જીવનમાં સમસ્યાઓ સર્જાઇ શકે છે. વાસ્તુ દોષનાં કારણે ઘરના સદસ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કારકિર્દીમાં સમસ્યાઓ જોવા મળે, વ્યાપારમાં અસફળતા મળી શકે અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં અમુક સરળ ઉપાયો આપેલા છે. આ ઉપાયથી ઘરમાં તોડફોડ વગર જ વાસ્તુ દોષ દૂર થઈ જશે. જાણો આ ઉપાયો વિશે.

ADVERTISEMENT
ચાર સરળ ઉપાયથી વાસ્તુ દોષ દૂર થશે
આ ચિત્રને ઉત્તર-પૂર્વ ખૂણામાં મૂકો
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરનાં ઉત્તર-પૂર્વ ખૂણાને સક્રિય કરવો પડશે. આ દિશામાં ઉગતા સુરજ, ઉડતા પક્ષીઓ અથવા વહેતી નદીનું ચિત્ર લગાવો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
ADVERTISEMENT
રસોડામાં લાલ બલ્બ લગાવો
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનું રસોડુ ખોટી જગ્યાએ બનેલું હોય તો તમે રસોડાનાં અગ્નિ ખૂણામાં લાલ બલ્બ લગાવી શકો છો. આ સાથે તેને સવાર-સાંજ ચાલુ પણ કરવો જોઈએ. આવું કરવાથી રસોડાનું વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે.

ADVERTISEMENT
વાંચવા જેવું: માનસિક તણાવ, ડાયરિયા જેવી બીમારીઓ ઘર કરી ગઇ છે? તો ભૂલથી પણ આ વાસ્તુદોષને મજાકમાં ન લેતા!
શનિ યંત્ર સ્થાપના
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનાં પશ્ચિમ ખૂણામાં કોઈ વાસ્તુ દોષ હોય તો આ દિશામાં શનિ યંત્રની સ્થાપના કરવી જોઈએ.
ADVERTISEMENT
ભગવાન ગણેશની મૂર્તિ અથવા મની પ્લાન્ટ લગાવો
ઘરના અગ્નિ કોણમાં વાસ્તુ દોષ હોય તો આ દિશામાં ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર લગાવવું જોઈએ. તમે આ દિશામાં મની પ્લાન્ટ પણ લગાવી શકો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નહીં આવે. પરિવારમાં પ્રેમની ભાવના વધશે. નોકરી અને વ્યવસાયમાં પણ તમને જલ્દી જ સફળતા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.