બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vastu tips: Many problems are caused due to Vastu Dosha

માન્યતા / માનસિક તણાવ, ડાયરિયા જેવી બીમારીઓ ઘર કરી ગઇ છે? તો ભૂલથી પણ આ વાસ્તુદોષને મજાકમાં ન લેતા!

Published By: Sanjay Vibhakar

Last Updated: 11:33 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu tips: વાસ્તુ મુજબ ઘર બનાવતા સમયે રસોડાની દિશા અને દશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખોટી દિશામાં રસોઈ ઘર હોય તો ઘરમાં બીમારીઓની સમસ્યા જોવા મળી શકે છે.

  • ઘણી સમસ્યાઓ વાસ્તુ દોષનાં કારણે થતી હોય છે
  • વ્યક્તિ થાઈરોઈડની સમસ્યાથી પીડાઈ શકે
  • વ્યક્તિને પેશાબ સંબંધી રોગની સમસ્યા થઈ શકે

કોઈ પણ વ્યક્તિના જન્મથી લઈને તેના જીવનકાળની શુભ-અશુભ ઘટનાઓમાં ગ્રહોની મુખ્ય ભૂમિકા હોય છે. કુંડળીમાં ગ્રહોની ચાલાકી જોઈને તેના સંકેતો મળે છે. તે જ સમયે, વાસ્તુશાસ્ત્રનો હસ્તક્ષેપ પણ ઓછો નથી. વાસ્તુના બગાડથી ખામી સર્જાય છે, જે તમારા જીવનને પ્રભાવિત કરે છે. તે માત્ર આર્થિક સ્થિતિ જ નહીં પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વ અને સ્વાસ્થ્યને પણ અસર કરે છે. વાસ્તુ દોષના કારણે ઘરમાં રહેતા લોકોને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. આ રોગોની સારવાર માટે ઘણા પૈસા પણ ખર્ચવા પડી શકે છે, પરંતુ વાસ્તુ દોષને કારણે બીમારીથી રાહત નથી મડતી. જેના કારણે વ્યક્તિને જીવનભર રોગ અને કષ્ટ સહન કરવા પડે છે.

વાસ્તુ દોષ 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘણી સમસ્યાઓ વાસ્તુ દોષનાં કારણે થતી હોય છે. કોઈ પણ દિશામાં ઘર બનાવવાથી અથવા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ લાગી શકે છે. જેના કારણે ઘરના સદસ્યો બીમાર થઈ શકે છે. જ્યાં સુધી વ્યક્તિ ઘરનું વાસ્તુ ઠીક નથી કરાવતી ત્યાં સુધી તેને સમસ્યાઓથી રાહત નથી મળતી. જાણો વાસ્તુ દોષનાં કારણે કઈ બીમારીઓ થઈ શકે છે. 

વાંચવા જેવું: 8 થી 14 જાન્યુઆરી: આવનારા સાત દિવસ તમારા કેવા જશે? કયા જાતકો માટે દુખની ઘંટડી વાગી, જુઓ સાપ્તાહિક રાશિફળ

વાસ્તુ દોષ સંબંધિત રોગ 
વાસ્તુ મુજબ ઘર બનાવતા સમયે રસોડાની દિશા અને દશાનું પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ખોટી દિશામાં રસોઈ ઘર હોય તો ઘરની અંદર બીમારીઓની સમસ્યા જોવા મળે છે. જો તમારા ઘરનું રસોડું દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય તો સભ્યોને અપચો અને કિડની સંબંધિત બીમારીઓ થવાની સંભાવના રહે છે. વાસ્તુમાં ઘરની સીડીઓનું પણ મહત્વ છે. જો ઘરની સીડી ઉત્તર-પૂર્વ દિશામાં હોય તો ઘરમાં રહેતા લોકોને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. તેમને બીપી, માનસિક તણાવ, ડિપ્રેશન જેવી બીમારીઓનું જોખમ રહે છે. જો પીવાના પાણી કે નહાવાની વ્યવસ્થા પશ્ચિમ દિશા તરફ કરવામાં આવે તો વ્યક્તિ થાઈરોઈડની સમસ્યાથી પીડાઈ શકે છે. જ્યારે ઉત્તર અને પૂર્વ દિશામાં પાણીની વ્યવસ્થા ફાયદાકારક છે. જો ઘરનું રસોડું ઉત્તર-પશ્ચિમ દિશામાં હોય તો પેટથી લગતી કોઈ સમસ્યા થઈ શકે છે. જો ઘરની સીડીઓ પૂર્વ અને દક્ષિણ દિશામાં હોય તો વ્યક્તિને પેશાબ સંબંધી રોગની સમસ્યા થઈ શકે છે. જો ઘરની પૂર્વ દિશામાં પાણીનો નળ લગાવવામાં આવે તો વ્યક્તિને ઝાડા, ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મહિલાઓને પણ વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Vastu Shastra vastu tips જ્યોતિષ શાસ્ત્ર બીમારીઓ વાસ્તુ શાસ્ત્ર ટીપ્સ Vastu Tips

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ