બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / ગુજરાત / સુરત / પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
Last Updated: 11:13 PM, 27 April 2024
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપે ભરતી મેળો શરૂ કર્યો છે. જે અંતર્ગત અનેક મોટા ચહેરા અન્ય પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેમાં 2 નામ એવા પણ છે, જેમણે અન્ય પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. આ 2 નામ છે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા. આ બંને નેતાએ તાજેતરમાં AAPના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે હવે આજે ભાજપમાં જોડાયા છે.
સૌ મિત્રોને પધારવા ભાવભર્યું આમંત્રણ.🇮🇳 pic.twitter.com/YMxPnJ9EYQ
— Alpesh Kathiriya.Official (@OfficialAlpesh) April 27, 2024
PAASના પૂર્વ કન્વીનર અને આપમાંથી રાજીનામું આપનારા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા છે. સુરતના વરાછા રોડ ખાતે આજે ભાજપનો કાર્યક્રમ હતો. જેમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના તેમના સમર્થકો સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ખેસ પહેરી કેસરિયા કર્યા છે.
આ મુદ્દે કેતન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અલ્પેશ પોતાની રાજકીય કારકિર્દીનો અંત લાવી રહ્યો છે. તેમણે PAASના કન્વીનરોના ભાજપમાં જોડાયા તેનો અભ્યાસ કરવો જોઈએ
પાટીદાર અનામત આંદોલન તો તમને સૌને યાદ જ હશે. આ આંદોલને ગુજરાતને અનેક નેતા આપ્યા છે. તેમાંનો હાર્દિક એક છે. પણ હવે આંદોલનના મોટા ચહેરામાં સામેલ અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા પણ એ જ ભાજપમાં ભળી ગયા છે જેનો એ ભૂતકાળમાં વિરોધ કરી રહ્યા હતા. 2022માં AAPમાં જોડાઈને રાજકારણમાં એન્ટ્રી કરનારા આ બન્ને નેતાએ એવો તર્ક આપ્યો કે અમે છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય છીએ અને AAP સાથે છેડો ફાડ્યાના 8 દિવસમાં જ ભાજપમાં જોડાવવાની એક પત્રિકા જાહેર થઈ હતી.
વાંચવા જેવું: 400 પાર થાય તો બંધારણ બદલી શકાય? અનામતને લઇન કોંગ્રેસના સવાલો પર ભાજપનો જવાબ શું?
2015માં શરૂ થયું પાટીદાર અનામત આંદોલન
હાર્દિક, અલ્પેશ અને ધાર્મિક હતા મોટા ચહેરા
સરકાર સામે પડીને સરકાર સાથે ભળી ગયા
હાર્દિકે કોંગ્રેસ અને બાદમાં ભાજપ સાથે મિલાવ્યો હાથ
કથિરીયા અને માલવિયાએ AAPથી રાજકારણમાં કરી એન્ટ્રી
હવે AAPનો સાથ છોડીને કમળને અપનાવશે અલ્પેશ-ધાર્મિક
PAASના આગેવાનો અને સમાજમાં શું જશે સંદેશ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ