બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
VTV / ભારત / માતાની એટલી જ ભૂલ, કે દીકરાને પોતાની સાથે માર્કેટ ના લઇ ગઇ, દીકરાએ ખાઇ લીધો ગળાફાંસો, પરિવારમાં રો કકળાટ
Last Updated: 11:56 PM, 9 May 2024
રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં 13 વર્ષના બાળકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જ્યારે બાળકની આત્મહત્યાનું કારણ સામે આવ્યું ત્યારે બધા ચોંકી ગયા હતા. માતા તેના પુત્રને બજારમાં લઈ ગઈ ન હતી. જેના કારણે તેણે ગુસ્સે થઈને માતાની સાડીથી ઘરની અંદર ફાંસો ખાઈ લીધો હતો. હાલ આ ઘટના બાદ પરિવારજનોની હાલત ખરાબ છે અને આક્રંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
13 વર્ષના યુવરાજ સિંહે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લીધો
આ ઘટના રાજસમંદ જિલ્લાના રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ, રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પુથોલ ગામમાં 13 વર્ષના યુવરાજ સિંહે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લીધો.
ADVERTISEMENT
આ કારણથી ગળે ફાંસો ખાધો
મૃતકના પરિજનોએ જણાવ્યું કે યુવરાજે તેની માતા સાથે બજારમાં જવાની જીદ કરી હતી, પરંતુ તેની માતાએ તેને સમજાવીને ઘરે જ રહેવા કહ્યું હતું. જેનાથી નારાજ થઈને તે પોતાના રૂમમાં ગયો અને ત્યાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો.
જ્યારે માતા બજારમાંથી પરત આવી ત્યારે ગેટ ખુલ્લો ન હોવાનું જણાયું હતું.
પરિવારજનોએ જણાવ્યું કે મૃતકના દાદા પણ નજીકના ગામમાં ભોજન લેવા ગયા હતા. યુવરાજને પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે જવાની ના પાડી દીધી હતી. બજારમાંથી થોડા સમય બાદ માતા-પુત્રીએ ઘરે આવીને દરવાજો ખખડાવ્યો તો ગેટ ખૂલ્યો ન હતો. માતાએ વિચાર્યું કે રાજકુમાર સૂતો હશે, પરંતુ ઘણો સમય વીતી જવા છતાં પણ જ્યારે દરવાજો ન ખૂલ્યો ત્યારે માતાને ચિંતા થવા લાગી.
ગેટ તોડ્યો તો જોયું કે યુવરાજ સાડીના ફંદાથી લટકતો હતો
જ્યારે નજીકના લોકોએ ગેટ તોડ્યો તો જોયું કે યુવરાજ તેની સાડીના ફંદાથી લટકતો હતો. માતાએ તેની લાશ જોતાં જ તે બેભાન થઈને ઢળી પડી હતી. ઘટનાને પગલે લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવી, ત્યારબાદ રાજનગર પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
યુવરાજ તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો
પરિવારજનોએ જણાવ્યું કે મૃતક યુવરાજના પિતા ઉમેદ સિંહ વિદેશમાં રહે છે અને તે તેમનો એકમાત્ર પુત્ર હતો. યુવરાજ નજીકની શાળામાં છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. મોતના સમાચાર ગામમાં ફેલાતા જ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આક્રંદથી પરિવારજનો પણ દુઃખી થઈ ગયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT