બ્રેકિંગ ન્યુઝ
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
Last Updated: 09:59 PM, 27 April 2024
ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જણાવીએ કે, ગયા વર્ષે 8 ડિસેમ્બરથી ભારતમાંથી ડુંગળીની નિકાસ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે સરકારે તેમાં થોડી છૂટછાટ આપી છે. ભારત હવે 6 પાડોશી દેશોમાં ડુંગળીની નિકાસ કરશે. અગાઉ સરકારે મધ્ય પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં 2000 ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી પણ આપી હતી.
છ પડોશી દેશમાં ડૂગળીની નિકાસ કરાશે
ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે છેલ્લા ઘણા મહિનાઓથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. દેશમાં ડુંગળીના વધતા ભાવથી જનતાને રાહત આપવા માટે સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી દીધી હતી. પરંતુ હવે નિકાસ બંધી હળવી કરવામાં આવી રહી છે. ભારતે છ પડોશી દેશોમાં 99,500 ટન ડુંગળીની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે.
આ દેશોમાં નિકાસ કરાશે
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે, જેમાં જણાવ્યું હતું કે, ભારત બાંગ્લાદેશ, UAE, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકામાં 99,150 ટન ડુંગળીની નિકાસ કરાશે. આ પાક મહારાષ્ટ્રમાં વધુ થાય છે. ગયા વર્ષે ઓછા ઉત્પાદનના અંદાજને કારણે ભારતે નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો.
વાંચવા જેવું: 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
કૃષિ મંત્રાલય દ્વારા ગયા મહિને જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2024માં ડુંગળીનું ઉત્પાદન 254.73 લાખ ટન આસપાસ રહેવાની ધારણા છે. ગયા વર્ષે આ આંકડો 302.08 લાખ ટન હતો. ભારતમાં ડુંગળીની ખેતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં થાય છે. સરકારે ડુંગળીના સંગ્રહમાં પણ સુધારો કર્યો છે. ડુંગળીની સંગ્રહ ક્ષમતા 1200 ટનથી વધારીને 5000 ટન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારને આશા છે કે તેનાથી ડુંગળીનો બગાડ ઓછો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ