બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'પાકિસ્તાનને ઈજ્જત આપવી જોઈએ...' પિત્રોડા બાદ હવે મણિશંકર અય્યરનું વિવાદિત નિવેદન

ભારત / 'પાકિસ્તાનને ઈજ્જત આપવી જોઈએ...' પિત્રોડા બાદ હવે મણિશંકર અય્યરનું વિવાદિત નિવેદન

Last Updated: 11:38 AM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણિશંકર અય્યરે કહ્યું છે કે જો ભારતે પાકિસ્તાનને નકારી દીધું તો કોઈ પાગલ ત્યાં આવી ગયો તો પરમાણુ બોમ્બ કાઢી લેશે, તેથી પાકિસ્તાને ઈજ્જત આપવી જોઈએ.

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેના કારણે કોંગ્રેસ પાર્ટીને નુકસાન વેઠવું પડી શકે છે. મણિશંકર અય્યરે ફરી એકવાર પાકિસ્તાન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ અને તેને ઈજ્જત આપવી જોઈએ કારણ કે તેમની પાસે એટમ બોમ્બ છે. અય્યરે કહ્યું કે જો પાકિસ્તાનને ઈજ્જત ન આપવામાં આવી અને કોઈ પાગલ નેતા ત્યાં આવી ગયો તો તે પરમાણુ હથિયારો કાઢી શકે છે.

પાકિસ્તાન એક સાર્વભૌમ દેશ છે: મણિશંકર અય્યર

મણિશંકર અય્યરે કહ્યું કે પાકિસ્તાન પણ એક સાર્વભૌમ દેશ છે અને તેની પણ ઈજ્જત છે. એ ઈજ્જતને જાળવી રાખતા તમે જેટલી કઠોરતાથી વાત કરવા માંગતા હોવ કરો, પણ વાત તો કરો. પરંતુ તમે હાથમાં બંદૂક લઈને ફરી રહ્યા છો અને તેનાથી કોઈ ઉકેલ નહીં મળે, ફક્ત તણાવ વધે છે. કોઈ ત્યાં પાગલ આવી જશે તો શું થશે દેશનું. તેની પાસે એટમ બોમ્બ છે.

તેમને સન્માન આપ્યું તો તેઓ બોમ્બ વિશે નહીં વિચારે

મણિશંકર અય્યરે કહ્યું કે હા આપણી પાસે પણ પરમાણુ બોમ્બ છે. પરંતુ કોઈ પાગલે લાહોર સ્ટેશન પર બોમ્બ ફોડ્યો. 8 સેકન્ડમાં તેની રેડિયો એક્ટિવિટી અમૃતસર પહોંચી જશે. આવા બોમ્બ મૂકીને તમે તેને તેનો ઉપયોગ કરતા અટકાવો. જો તમે તેની સાથે વાત કરી, તેને માન આપ્યું તો તે બોમ્બ વિશે નહીં વિચારે. પરંતુ જો તમે તેમને નકારી દીધું, તો કોઈ પાગલ જો ત્યાં આવી ગયો તો તે બોમ્બ કાઢશે.

આપણે બધા મુશ્કેલીમાં પડી જઈશું: મણિશંકર અય્યર

મણિશંકર અય્યરે કહ્યું કે આપણે સમજવું જોઈએ કે જો આપણે દુનિયાના વિશ્વગુરુ બનવું હોય તો તે જરૂરી છે કે પાકિસ્તાન સાથે જેટલી પણ તીવ્ર સમસ્યા હોય, સમસ્યાનો ઉકેલ કાઢવા માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષથી આ બધું જ કામ બંધ છે. મસ્ક્યુલર પોલિસી ત્યારે કામ કરશે જયારે તેની પાસે મસલ્સ ન હોય. હકીકત આપણે બધાને ખબર છે કે તેમના મસલ્સ કહૂટામાં પડેલા છે. જો ગેરસમજ ફેલાઈ જશે તો આપણે બધા મુશ્કેલીમાં મુકાઈ જઈશું.

વધુ વાંચો: છેડતીનો આરોપ બાદ બંગાળના રાજ્યપાલે બતાવ્યા CCTV ફૂટેજ, તો મહિલાએ આપી આત્મહત્યા કરવાની ધમકી

સામ પિત્રોડાનું વિવાદિત નિવેદન

સામ પિત્રોડાએ અગાઉ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે ભારતીયોની વિવિધતાનો ઉલ્લેખ કરતા ટિપ્પણી કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે ઉત્તર ભારતના લોકો ગોરા જેવા દેખાય છે, જ્યારે પૂર્વ ભારતના લોકો ચીની જેવા દેખાય છે. આ નિવેદનમાં આગળ પિત્રોડાએ કહ્યું કે દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા દેખાય છે અને પશ્ચિમ ભારતના લોકો આરબ લોકો જેવા દેખાય છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત જેવા વિવિધતાવાળા દેશમાં આજે પણ બધા એક સાથે રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ