બ્રેકિંગ ન્યુઝ
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
Last Updated: 06:11 PM, 27 April 2024
ગુજરાતમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રચારની ધૂરા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભાળી છે. ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં અમિત શાહે જાહેરસભા યોજી I.N.D.I.A. ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા.
મનસુખ વસાવા માટે કોઈ સભા કરવાની જરૂર નહી હોવાનુ જણાવી મનસુખ વસાવાનુ ભૂત દરેક ગામમાં ફરતુ હોવાનુ કહેતા સભામાં રમૂજ ફેલાઈ હતી. ભરૂચ બેઠક પર અર્બન નક્સલ આવશે તો આદિવાસી વિસ્તારને તહેસ નહેસ કરી નાખશે તેવો આક્ષેપ કરી મનસુખ વસાવાને મત આપવાનુ કહેવા માટે ભરૂચ આવ્યો હોવાનુ અમિત શાહે જણાવ્યુ હતુ.
નરેન્દ્ર મોદીએ આદિવાસીઓ માટે ઘણાં કામ કર્યા હોવાથી આદિવાસીઓને સમજી જવા ઈશારો કર્યો હતો. દ્રોપદી મૂર્મુને રાષ્ટ્રપતિ બનાવી આદિવાસીઓનું ગૌરવ વધારવાનુ કામ ભાજપે કર્યુ હોવાનો દાવો કર્યો હતો. અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક લોકોએ ગામડાઓમાં જઈને કોમન સિવિલ કોડ મુદ્દે જુઠ્ઠાણું ફેલાવોનું કામ કર્યું છે. વધુમાં કહ્યું કે, ચૈતર વસાવા એન્ડ કંપની જુઠ્ઠાણું ફેલાવાનું કામ કરી રહ્યું છે.
વાંચવા જેવું: આ છે MS ધોનીના સાસુ શીલા સિંહ, જેઓ પહેલા હતા હોમ મેકર, હવે ચલાવે છે કરોડોની કંપની
તેમણે કહ્યું કે, મનસુખ વસાવા કામો કર્યા છે પણ કોઈને કહેતા જ નથી ચૂપચાપ કામ કર્યા કરે છે. મનસુખ વસાવાના કારણે આમોદમાં ડ્રગ બલ્ક પાર્ક આવ્યું છે. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતાઓ આવ્યા નહી કેમ કે, તેમની લઘુમતીની વોટ બેંક તૂટી જાય. ભરૂચ વાળા ભૂલ ન કરતા ખંડણીનું કામ અત્યારે બંધ છે જો આપ પાર્ટી આવશે તો ફરીથી ચાલુ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ