બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / બિઝનેસ / Investors be alert! Hinduja Group can buy Ambani's company, plan approved

બિઝનેસ / રોકાણકારો એલર્ટ રહેજો! હિન્દુજા ગ્રુપ ખરીદી શકે અંબાણીની આ કંપની, પ્લાનને મંજૂરી

Vishal Dave

Last Updated: 06:42 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ કેપિટલ હિન્દુજા ગ્રુપના હાથમાં આવી શકે છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ મંગળવારે રિલાયન્સ કેપિટલ માટે હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)ના રૂ. 9650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી

અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ કેપિટલને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. રિલાયન્સ કેપિટલ હિન્દુજા ગ્રુપના હાથમાં આવી શકે છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ મંગળવારે રિલાયન્સ કેપિટલ માટે હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)ના રૂ. 9650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી.  NCLTની મુંબઈ બેન્ચે ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ દ્વારા સબમિટ કરેલા પ્લાનને મંજૂરી આપી છે. જસ્ટિસ વીરેન્દ્ર સિંહ બિષ્ટ અને ટેકનિકલ સભ્ય પ્રભાત કુમારની ડિવિઝન બેન્ચે આ યોજનાને મંજૂરી આપી છે. IIHLએ બિડિંગના બીજા રાઉન્ડમાં જૂન 2023 માટે પ્લાન સબમિટ કર્યો હતો.

આરબીઆઈએ રિલાયન્સ કેપિટલનું બોર્ડ હટાવી દીધું હતું

નવેમ્બર 2021 માં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રિલાયન્સ કેપિટલના બોર્ડને હટાવી દીધું. અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ કંપનીની ગવર્નન્સ સમસ્યાઓ અને પેમેન્ટ ડિફોલ્ટને કારણે RBIએ બોર્ડને હટાવી દીધું હતું. રિઝર્વ બેંકે નાગેશ્વર રાવ વાયને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા, કંપનીના ટેકઓવર માટે ફેબ્રુઆરી 2022 માં બિડ આમંત્રિત કર્યા હતા.


રિલાયન્સ કેપિટલ પર 40 હજાર કરોડથી વધુનું દેવું છે

રિલાયન્સ કેપિટલ પર રૂ. 40,000 કરોડથી વધુનું દેવું હતું. શરૂઆતમાં 4 અરજદારોએ રિઝોલ્યુશન પ્લાન સાથે બિડ કરી હતી. જોકે, લેણદારોની સમિતિએ બિડની કિંમત ઓછી હોવાને કારણે ચારેય યોજનાઓને નકારી કાઢી હતી. આ પછી, ચેલેન્જ મિકેનિઝમ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) અને ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે ભાગ લીધો હતો. જૂન 2023માં, સમિતિએ રૂ. 9661 કરોડની અપફ્રન્ટ કેશની બિડ માટે હિન્દુજા ગ્રૂપની કંપનીની પસંદગી કરી હતી.


 

સંકળાયેલા મુદ્દાઓ

Anil Ambani's company Hinduja Group anil ambani reliance capital અનિલ અંબાણી રિલાયન્સ કેપિટલ હિન્દુજા ગ્રુપ business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ