ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / indias unlock 5 guidelines released by home ministry

કોરોના વાયરસ / UNLOCK 5: 15 ઓક્ટોબરથી સિનેમા-મલ્ટિપ્લેક્સ ખૂલશે, સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કરે

Published By: Hiren

Last Updated: 09:08 PM, 30 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીના પગલે દેશમાં લાગુ કરાયેલા લૉકડાઉનને તબક્કાવાર ખોલવાની કવાયત ચાલુ છે. તેના અનુસંધાનમાં સરકાર દ્વારા અનલૉક 5ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જાણો અનલૉક 5માં સરકાર દ્વારા 15 ઓક્ટોબરથી કેટલી અને કટલાક પ્રમાણમાં છુટછાટ આપવામાં આવી છે.

ADVERTISEMENT

  • અનલોક 5ની ગાઇડલાઇન જાહેર 
  • 15 ઓક્ટોબરથી શરૂ થશે સિનેમા 
  • કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન

ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર, દેશમાં 1થી 31 ઓક્ટોબર 2020 સુધી અનલૉક 5 રહેશે. સરકારે 15 ઓક્ટોબરથી નવી ગાઈડલાઇન્સ પ્રમાણે સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, સ્પોર્ટપર્સન માટે સ્વિમિંગ પૂલ્સ, મનોરંજનના પાર્ક ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. આ માટે પાળવામાં આવતી SOP ટૂંક સમયમાં જાહેર થશે. જોકે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકશે. 

- ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર, દેશમાં 1થી 31 ઓક્ટોબર 2020 સુધી અનલૉક 5 લાગૂ રહેશે. જોકે છુટછાટ 15 ઓક્ટોબરથી શરૂ થશે.

- સિનેમા, મલ્ટીપ્લેક્સ 50% કેપેસીટી સાથે ખોલવામાં આવશે. આ મુદ્દે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ગાઇડલાઇન્સ જાહેર કરશે. 

- બિઝનેસ ટુ બિઝનેસ એકઝીબીશન્સને 15 ઓક્ટોબરથી પરવાનગી આપવામાં આવશે. આ માટે પણ SOP જાહેર કરવામાં આવશે.

- સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રસંગોમાં 100થી વધુ લોકોને અનુમિત આપવી તે અંગે રાજ્ય નિર્ણય કરશે.

- રાજ્ય સરકારો શાળાઓ કોચિંગ ક્લાસીસ 15 ઓક્ટોબર પછી ફરીથી ખોલવા મુદ્દે નિર્ણય લઇ શકે છે. શૈક્ષણિક સંસ્થાઓને તબક્કાવાર ખોલવાની રહેશે.

- જે શાળાઓને ખુલવાની પરવાનગી આપવામાં આવેલી હશે તેમણે રાજ્યએ તૈયાર કરેલી SOPનું પાલન કરવું પડશે. આ SOP ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને બનાવશે.

- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કોલેજોને ફરીથી ખોલવાના સમયનો નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા મળીને લેવામાં આવશે. 

- 15 ઓકટોબરથી વિજ્ઞાન અને ટેક્નોલોજી શાખાના PhD અને પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ જેમના માટે લેબ વર્ક અને પ્રયોગો જરૂરી હોય તેમને શરતો સાથે પરવાનગી આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

India unlock 5 અનલૉક 5 કોરોના વાયરસ Unlock 5.0

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ