કોરોના મહામારીના પગલે દેશમાં લાગુ કરાયેલા લૉકડાઉનને તબક્કાવાર ખોલવાની કવાયત ચાલુ છે. તેના અનુસંધાનમાં સરકાર દ્વારા અનલૉક 5ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જાણો અનલૉક 5માં સરકાર દ્વારા 15 ઓક્ટોબરથી કેટલી અને કટલાક પ્રમાણમાં છુટછાટ આપવામાં આવી છે.
અનલોક 5ની ગાઇડલાઇન જાહેર
15 ઓક્ટોબરથી શરૂ થશે સિનેમા
કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન
ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર, દેશમાં 1થી 31 ઓક્ટોબર 2020 સુધી અનલૉક 5 રહેશે. સરકારે 15 ઓક્ટોબરથી નવી ગાઈડલાઇન્સ પ્રમાણે સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, સ્પોર્ટપર્સન માટે સ્વિમિંગ પૂલ્સ, મનોરંજનના પાર્ક ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. આ માટે પાળવામાં આવતી SOP ટૂંક સમયમાં જાહેર થશે. જોકે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકશે.
- ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર, દેશમાં 1થી 31 ઓક્ટોબર 2020 સુધી અનલૉક 5 લાગૂ રહેશે. જોકે છુટછાટ 15 ઓક્ટોબરથી શરૂ થશે.
- સિનેમા, મલ્ટીપ્લેક્સ 50% કેપેસીટી સાથે ખોલવામાં આવશે. આ મુદ્દે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ગાઇડલાઇન્સ જાહેર કરશે.
- બિઝનેસ ટુ બિઝનેસ એકઝીબીશન્સને 15 ઓક્ટોબરથી પરવાનગી આપવામાં આવશે. આ માટે પણ SOP જાહેર કરવામાં આવશે.
- સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રસંગોમાં 100થી વધુ લોકોને અનુમિત આપવી તે અંગે રાજ્ય નિર્ણય કરશે.
- રાજ્ય સરકારો શાળાઓ કોચિંગ ક્લાસીસ 15 ઓક્ટોબર પછી ફરીથી ખોલવા મુદ્દે નિર્ણય લઇ શકે છે. શૈક્ષણિક સંસ્થાઓને તબક્કાવાર ખોલવાની રહેશે.
- જે શાળાઓને ખુલવાની પરવાનગી આપવામાં આવેલી હશે તેમણે રાજ્યએ તૈયાર કરેલી SOPનું પાલન કરવું પડશે. આ SOP ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને બનાવશે.
- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કોલેજોને ફરીથી ખોલવાના સમયનો નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા મળીને લેવામાં આવશે.
- 15 ઓકટોબરથી વિજ્ઞાન અને ટેક્નોલોજી શાખાના PhD અને પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ જેમના માટે લેબ વર્ક અને પ્રયોગો જરૂરી હોય તેમને શરતો સાથે પરવાનગી આપવામાં આવશે.