બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:15 PM, 14 May 2026
ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર થયેલા હુમલાની ભારતે સખત નિંદા કરી છે. જેમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કોમર્શીયલ જહાજો અને નાગરિક નાવિકોને નિશાન બનાવવા સંપૂર્ણપણે ખોટું છે. વિદેશ મંત્રાલય (MEA) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગઈકાલે ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર થયેલો હુમલો અનએક્સેપ્ટેબલ છે. અમે કોમર્શીયલ જહાજો અને નિર્દોષ નાવિકો પર વારંવાર થયેલા હુમલાઓની નિંદા કરીએ છીએ."
ADVERTISEMENT
આ અંગે સરકારે સ્પષ્ટતા કરી હતી કે જહાજ પર સવાર તમામ ભારતીય કર્મચારીઓ સુરક્ષિત છે. MEA એ ઓમાની અધિકારીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, "બધા ભારતીય કર્મચારીઓ સુરક્ષિત છે. અમે ઓમાની અધિકારીઓનો તેમના બચાવ કામગીરી માટે આભાર માનીએ છીએ." આ ઘટના એવા સમયે બની છે જ્યારે પ્રાદેશિક તણાવ વધી રહ્યો છે.

ADVERTISEMENT
ભારતે ઇન્ટરનેશનલ સમુદાયને દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. જે નિવેદનમાં કહેવામાં આવ્યું છે: "કોમર્શીયલ શિપિંગને નિશાન બનાવવું, નિર્દોષ નાગરિક નાવિકોને જોખમમાં મૂકવું, કે નેવિગેશન અને વેપારની સ્વતંત્રતાને ખલેલ પહોંચાડવી સંપૂર્ણપણે ટાળવું જોઈએ."
ADVERTISEMENT
ભારત દરિયાઈ સુરક્ષા પર ઇન્ટરનેશનલ સહયોગ વધારવા અને ઇન્ટરનેશનલ દરિયાઈ કાયદાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત વિશ્વનો એક મુખ્ય વેપારી રાષ્ટ્ર છે અને તેનો લગભગ 95 ટકા વેપાર દરિયાઈ માર્ગો દ્વારા થાય છે. પેટ્રોલિયમ, કેમિકલ ખાદ્ય ઉત્પાદનોનું પરિવહન આ માર્ગો પર આધાર રાખે છે.
ADVERTISEMENT
28 ફેબ્રુઆરી 2026 ના રોજ ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા શરૂ કરાયેલા હવાઈ યુદ્ધ અને ઈરાની સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ બાદ આ ક્ષેત્રમાં સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર હુમલો કર્યો છે.
ADVERTISEMENT
1 માર્ચ 2026ના રોજ ઓમાનના ખાસાબની ઉત્તરે ઓઈલ ટેન્કર 'સ્કાયલાઇટ' પર અસ્ત્ર હુમલામાં બે ભારતીય ક્રૂ સભ્યો માર્યા ગયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. 'MKD VYOM' જહાજ પર ડ્રોન બોટ હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું હતું. આ સિવાય 'આયેહ' જહાજ પર એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને સંયમ રાખવા અને ઇન્ટરનેશનલ કાયદાનું સન્માન કરવાની અપીલ કરી છે. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ આ વિસ્તારમાં વધુ દેખરેખ રાખી રહ્યા છે. બધા ભારતીય જહાજોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.