બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / india and uae share the values of non discrimination on any grounds says indian ambassador
ADVERTISEMENT
ભારતમાં તબલિગી જમાતના સભ્યો દ્વારા ડૉક્ટરો અને હેલ્થ સ્ટાફ પર હુમલા કરવા અને નર્સોની સાથે અભદ્રતાની ઘટના સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ વચ્ચે દુબઇમાં એક ભારતીયે તબલિગી જમાતથી જોડાયેલા મામલાનો સંદર્ભ લેતા મુસલમાનો માટે વિવાદસ્પદ ટ્વિટ કર્યું જેની પર યૂએઇની રાજકુમારીએ આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે આવા લોકોને દેશમાંથી નિકાળી શકાય છે. હવે યૂએઇમાં ભારતના રાજનયિકનું નિવેદન સામે આવ્યું છે જેમાં એમને કહ્યું કે ભારતમાં ભેદભાવની કોઇ જગ્યા નથી અને આ યૂએઇમાં રહેતા ભારતીયોએ પણ સમજવું પડશે.
બીજી બાજુ ભારતીય રાજનયિક પવન કપૂરે ટ્વિટ કર્યું, 'ભારત અને યૂએઇ ભેદભાવ ન કરવાના મૂલ્યને શેર કરે છે. ભેદભાવ આપણા કાયદા વિરુદ્ધ છે. યૂએઇમાં મોજૂદ ભારતીય નાગરિકોને એનું ધ્યાન રાખવું જોઇએ.'
ADVERTISEMENT
India and UAE share the value of non-discrimination on any grounds. Discrimination is against our moral fabric and the Rule of law. Indian nationals in the UAE should always remember this. https://t.co/8Ui6L9EKpc
— Amb Pavan Kapoor (@AmbKapoor) April 20, 2020
ADVERTISEMENT
એમને વાસ્તવમાં પીએમઓને ટ્વિટને રીટ્વિટ કરતાં લખ્યું, પીએમઓએ ટ્વિટ કર્યું હતું, 'કોવિડ 19 કોઇ ધર્મ, જાતિ, સંપ્રદાય, રંગ, ભાષા અને સીમાને જોતું નથી. અમારી પ્રતિક્રિયા અને વ્યવહાર એવો હોવો જોઇએ કે જે એકતા અને ભાઇચારાને આગળ વધારે.'
કેમ નારાજ થઇ UAEની રાજકુમારી
દુબઇમાં રહેતા એર ભારતીયનું ટ્વિટ વાયરલ થયું છે. જેમાં એને આરોપ લગાવ્યો છે કે ભારતમાં કોરોના વાયરસ સંકટ માટે તલબિગી જમાતના લોકો જવાબદાર છે. એમને મુસ્લિમ પર પણ વિવાદસ્પદ ટ્વિટ કર્યા. એને એવો પણ દાવો કર્યો કે દુબઇ જેવા શહેરને પણ હિંદુઓએ બનાવ્યું હતું. જો કે બાદમાં એને એનું અકાઉન્ટ ડિલીટ કરી દીધું. પરંતુ યૂએઇની રાણીની ત્યાં સુધી એની પર નજર જતી રહી અને એને કહ્યું કે અમારો દેશ આવા પ્રકારના વ્હવહારને સહન કરશે નહીં.
ADVERTISEMENT
રાજકુમારીએ અપાવી ગાંધીની યાદ
હેટ સ્પીચ વિરુદ્ધ અભિયાન ચલાવનારી રાજકમારી હેન્દ કાસિમીએ લખ્યું, 'ધૃણા ફેલાવવાની વાત નરસંહારની શરૂઆત છે. મહાત્મા ગાંધીએ એક વખત કહ્યું હતું કે, આંખના બદલામાં આંખ લેવાથી દુનિયા આંધળી થઇ જશે. આપણે આપણા લોહિયાળ ઇતિહાસથી પાઠ ભણવો જોઇએ.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.