આજે મહાલક્ષ્મી પૂજા અને દિવાળીનું પર્વ મનાવવામાં આવશે. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર, કારતક મહિનાની અમાસના દિવસે સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં. એટલા માટે જ આ દિવસે લક્ષ્મીપૂજા કરવામાં આવે છે. ગ્રહો પ્રમાણે આજે વિશેષ સંયોગ હોવાથી આ વર્ષે દિવાળી ખૂબ જ ખાસ છે. આ દિવાળી પર શનિ સ્વાતિ યોગ સર્વાર્થસિદ્ધિયોગ બની રહ્યો છે. જેથી 17 વર્ષ બાદ દિવાળી પણ બની રહેલો આ સંયોગ ખૂબ જ લાભકારી સિદ્ધ થશે.
આ દિવાળી પર બની રહ્યો છે શનિ સ્વાતિ યોગ સર્વાર્થ સિધ્ધિ યોગ
17 વર્ષ બાદ દિવાળી પણ બની રહ્યો છે આ સંયોગ
આ સંયોગ ખૂબ જ લાભકારી સિદ્ધ થશે
ગ્રહોનો યોગ
દિવાળી પર ધન અને જ્ઞાનનો ગ્રહ ગુરુ તેની પોતાની સ્વરાશિ ધન અને શનિ પોતાની સ્વરાશિ મકરમાં રહેશે. જ્યારે શુક્ર ગ્રહ કન્યા રાશિમાં રહેશે. જ્યોતિષશાસ્ત્રીઓ કહે છે કે દિવાળી પર આવો સંયોગ 499 વર્ષ પછી બની રહ્યો છે. અગાઉ ગ્રહોની આવી સ્થિતિ 1521માં જોવા મળી હતી. દિવાળી પર લક્ષ્મીજીની સાથોસાથ ગણેશ, કુબેર, સરસ્વતી અને કાલિકાની પણ પૂજા કરવામાં આવે છે.
કમળ પર વિરાજમાન મા લક્ષ્મી, ગણેશજીની મૂર્તિ, કમળ અને ગુલાબની પાન, સાબૂત પાનના પાન, રોલી, સિંદૂર અને કેસર, સાબૂત ચોખા, સોપારી, ફળ, મીઠાઈ, દૂધ, દહીં, મધ, અત્તર અને ગંગાજળ, કલાવા, પિત્તળનો દીવો અને માટીના દીવા, તેલ, ઘી અને રૂની વાટ, કળશ, એક નારિયેળ, ચાંદીનો સિક્કો, લાલ અથવા પીળા રંગનું આસન અને ચોકી
આ રીતે કરો પૂજા
દિવાળી પર્વ પર બધાં જ અલગ અલગ રીતે પૂજા કરતાં હોય છે. જેમાં દિવાળી પૂજાનું મહત્વ અને પૂજાની સાચી વિધિ જાણવી ખૂબ જ જરૂરી છે. સાચી વિધિથી દિવાળી પૂજા કરવાથી મા લક્ષ્મીની અસીમ કૃપા તમારી પર વરસશે.