બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:07 PM, 19 January 2026
આજના સમયમાં ગેરકાયદેસર રીતે વિદેશ જવું ઘણા દેશો માટે મોટી સમસ્યા બની ગયું છે. આ મુદ્દો અનેક દેશોમાં રાજકીય ચર્ચાનો વિષય પણ બની રહ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશ ગયેલા ભારતીયોને પરત મોકલવાના કેસોમાં સતત વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 81 દેશોમાંથી એક લાખથી વધુ ભારતીયોને ભારત પરત મોકલવામાં આવ્યા છે. હાલ દર વર્ષે સરેરાશ લગભગ 25 હજાર ભારતીયો ડિપોર્ટ થઈને પરત આવે છે, જ્યારે પાંચ વર્ષ પહેલાં આ સંખ્યા માત્ર 14થી 15 હજાર જેટલી હતી. આથી સ્પષ્ટ થાય છે કે સમસ્યા સતત ગંભીર બની રહી છે.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયના આંકડા મુજબ દુનિયાના મોટા તેમજ નાના અનેક દેશોમાંથી ભારતીયોને ડિપોર્ટ કરીને પરત મોકલવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા અને કંબોડિયા જેવા દેશોમાંથી પણ સૈકડો ભારતીયો પરત આવ્યા છે. વર્ષ 2021થી 2025 દરમિયાન કુલ અંદાજે 1.05 લાખ ભારતીયોને વિદેશોમાંથી ભારત મોકલવામાં આવ્યા છે.

ADVERTISEMENT
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિપોર્ટ થવાના મુખ્ય કારણોમાં વિઝાની મુદત પૂરી થયા બાદ પણ ગેરકાયદેસર રીતે રહેવું અને વર્ક વિઝા વગર નોકરી કરવી સામેલ છે. કેટલાક કેસોમાં નાના ગુનાઓ પણ ડિપોર્ટનું કારણ બને છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 68,258 ભારતીયોને સાઉદી અરબમાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ અમેરિકાથી 7,824 અને મલેશિયાથી 6,553 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કેટલાક દેશોમાં ડિપોર્ટ થનારા ભારતીયોની સંખ્યામાં ઝડપી વધારો નોંધાયો છે. વર્ષ 2021માં અમેરિકાથી 808 ભારતીયો પરત આવ્યા હતા, જે 2025માં વધીને 3,812 થઈ ગયા. યુએઈથી આ સંખ્યા 358થી વધીને 1,467, મ્યાનમારથી 338થી 1,591, બહેરિનથી 273થી 764, બાંગ્લાદેશથી 64થી વધીને 156, થાઈલેન્ડથી 256થી 481, માલદીવથી 16થી 127, કંબોડિયાથી 44થી 305 અને કેનેડાથી 27થી વધીને 188 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે. આ આંકડાઓ બતાવે છે કે છેલ્લા વર્ષોમાં ડિપોર્ટ થનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''યહ હોકર રહેગા'', ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની અંતિમ ચેતવણી, રશિયાને પણ લપેટી લીધું
ADVERTISEMENT
આંકડાઓ મુજબ અમેરિકા અને ખાડી દેશો ઉપરાંત યુરોપના કેટલાક નાના દેશોમાંથી પણ મોટી સંખ્યામાં ભારતીયોને ડિપોર્ટ કરીને ભારત પરત મોકલવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં જ્યોર્જિયાથી 133, પનામાથી 188, પોલેન્ડથી 127, યુકેમાંથી 578, મ્યાનમારથી 2,165, ચીનથી 1,000, બાંગ્લાદેશથી 478 અને શ્રીલંકાથી 1,866 ભારતીયોને ભારત પરત મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગેરકાયદેસર રીતે બીજા દેશમાં રહેવું અથવા કામ કરવું હવે અનેક દેશો માટે મોટી મુશ્કેલી બની ગયું છે. તમામ દેશો આવા આંકડા જાહેર કરતા નથી, પરંતુ વિદેશ મંત્રાલયને આ માહિતી ભારતના દૂતાવાસો પાસેથી મળી છે. મોટા ભાગના કેસોમાં લોકો ખોટા વિઝા પર નોકરી કરે છે અથવા વિઝાની મુદત પૂરી થયા બાદ પણ ત્યાં રહેતા અને કામ કરતા રહે છે, જેના કારણે તેમને ડિપોર્ટ કરવામાં આવે છે. જ્યારે કોઈ ભારતીયને પરત મોકલવાનો હોય ત્યારે તે દેશ ભારતના દૂતાવાસને જાણ કરે છે. દૂતાવાસ તેની નાગરિકતા ચકાસે છે અને જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને તેને ભારત પરત મોકલે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.