બ્રેકિંગ ન્યુઝ
VTV / If Coronavirus will Not stop in India PM Modi takes 3 big decisions for Indians
Last Updated: 06:59 AM, 4 April 2020
ADVERTISEMENT
કોરોના વાયરસની ફ્રીમાં તપાસ
જો કોરોના રોકાશે નહીં તો સરકાર દરેક ભારતીય માટે તત્કાલ અસરથી કાર્યવાહી કરશે. WHOએ કહ્યું છે કે ભારત વાયરસને ત્યારે નિયંત્રિત કરી શકશે જ્યારે તે વાયરસથી સંક્રમિત દરેક વ્યક્તિઓની તપાસ કરશે. આ સ્થિતિમાં ભારત સરકાર સંક્રમિત લોકોની તપાસ માટે કોરોના ટેસ્ટને ફ્રી કરી શકે છે. હાલમાં આ ટેસ્ટની કિંમત 3500-5000 રૂપિયા રાખવામાં આવી છે.
ADVERTISEMENT
વધી શકે છે લૉકડાઉનનો સમય
લૉકડાઉન બાદ કોરોના વાયરસના સકારાત્મક કિસ્સા સતત વધતા જોવા મળી રહ્યા છે. ભારતમાં કોરોનાના કારણે 72 લોકોના મોત થયા છે અને દર્દીઓની સંખ્યા 2500ને પાર પહોંચી છે. એવામાં સરકાર લૉકડાઉનનો સમય વધારે તે શક્ય છે. જેથી લોકો એકમેકના સંપર્કમાં આવવાથી બચે અને સંક્રમણ ઓછું ફેલાય.
સંક્રમિતોની શોધ કરવી
WHOએ પહેલાં જ ભારતને ચેતવણી આપી કે લૉકડાઉનથી જ કોરોના પર વિજય મેળવી શકાશે નહીં, ભારતે કોરોનાથી સંક્રમિત લોકોને શોધવા પડશે અને તેમને જનતાથી અલગ કરવા પડશે. આ સ્થિતિમાં સરકાર સંક્રમિતોને માટે એક અભિયાન શરૂ કરી શકે છે અને આ લોકોને શોધીને તેમને અલગ રાખી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.