ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોના વાયરસ ભારતમાં પોતાની અસર દેખાડી રહ્યો છે. અહીં લૉકડાઉનની અસર વચ્ચે પણ સંક્રમિતોની સંખ્યા વધી છે. અહીં કોરોના પીડિતોની સંખ્યા 2567 પહોંચી છે અને મૃત્યુઆંક 72 થયો છે. PM મોદી દ્વારા લેવાયેલા લૉકડાઉનના નિર્ણય બાદ પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. પણ જો લૉકડાઉન બાદ પણ કોરોના પર લગામ નહીં લાગે તો PM મોદી આ 3 મોટા નિર્ણય લઈ શકે છે. જેમાં કોરોનાની ફ્રીમાં તપાસ, સંક્રમિતોની શોધ કરવી અને લૉકડાઉનનો સમય વધારવો જેવી બાબતો પર ભાર મૂકાઈ શકે છે.
કોરોનાના ભરડામાં ભારત
લૉકડાઉન વચ્ચે પણ ભારતમાં વધી રહ્યો છે કોરોનાનો આંક
કોરોના કાબૂમાં નહીં આવે તો PM મોદી લેશે આ 3 મોટા નિર્ણય
કોરોના વાયરસની ફ્રીમાં તપાસ
જો કોરોના રોકાશે નહીં તો સરકાર દરેક ભારતીય માટે તત્કાલ અસરથી કાર્યવાહી કરશે. WHOએ કહ્યું છે કે ભારત વાયરસને ત્યારે નિયંત્રિત કરી શકશે જ્યારે તે વાયરસથી સંક્રમિત દરેક વ્યક્તિઓની તપાસ કરશે. આ સ્થિતિમાં ભારત સરકાર સંક્રમિત લોકોની તપાસ માટે કોરોના ટેસ્ટને ફ્રી કરી શકે છે. હાલમાં આ ટેસ્ટની કિંમત 3500-5000 રૂપિયા રાખવામાં આવી છે.
વધી શકે છે લૉકડાઉનનો સમય
લૉકડાઉન બાદ કોરોના વાયરસના સકારાત્મક કિસ્સા સતત વધતા જોવા મળી રહ્યા છે. ભારતમાં કોરોનાના કારણે 72 લોકોના મોત થયા છે અને દર્દીઓની સંખ્યા 2500ને પાર પહોંચી છે. એવામાં સરકાર લૉકડાઉનનો સમય વધારે તે શક્ય છે. જેથી લોકો એકમેકના સંપર્કમાં આવવાથી બચે અને સંક્રમણ ઓછું ફેલાય.
સંક્રમિતોની શોધ કરવી
WHOએ પહેલાં જ ભારતને ચેતવણી આપી કે લૉકડાઉનથી જ કોરોના પર વિજય મેળવી શકાશે નહીં, ભારતે કોરોનાથી સંક્રમિત લોકોને શોધવા પડશે અને તેમને જનતાથી અલગ કરવા પડશે. આ સ્થિતિમાં સરકાર સંક્રમિતોને માટે એક અભિયાન શરૂ કરી શકે છે અને આ લોકોને શોધીને તેમને અલગ રાખી શકે છે.