બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મારી પાસે માફી માંગવા શબ્દ નથી, હું જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યો છું: ઓમર અબ્દુલ્લા
Last Updated: 06:05 PM, 28 April 2025
સોમવારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. જેમાં પહેલગામ હુમલાની નિંદા કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમારામાંથી કોઈ પણ આ હુમલાના સમર્થનમાં નથી અને આ હુમલાએ અમને અંદરથી ખોખલા કરી દીધા છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તેમના ભાષણમાં કઈ મહત્વપૂર્ણ વાતો કહી. આ દરમિયાન અબ્દુલ્લાએ વિધાનસભામાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 26 લોકોના નામ વાંચી સંભળાવ્યા અને તેમના રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ હુમલાથી આખો દેશ દુઃખમાં છે.
ADVERTISEMENT
હુમલાની આખું કાશ્મીર નિંદા કરી રહ્યું છે
મુખ્યમંત્રીએ કહ્યું કે, કઠુઆથી કુપવાડા સુધી, ભાગ્યે જ કોઈ શહેર કે ગામ હશે જ્યાં લોકો બહાર આવીને આ હુમલાની નિંદા ન કરતા હોય. મુખ્યમંત્રીએ કહ્યું, "ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, ક્યાં અરુણાચલ અને ક્યાં ગુજરાત, ક્યાં જમ્મુ-કાશ્મીર અને ક્યાં કેરળ અને વચ્ચેના બધા રાજ્યો, આખો દેશ આ હુમલાથી પ્રભાવિત થયો છે."
ADVERTISEMENT
21 વર્ષે બૈસરનમાં મોટો હુમલો
અબ્દુલ્લાએ કહ્યું, "અમે અમરનાથ યાત્રા શિબિરો પર હુમલા જોયા છે, અમે કાશ્મીરી પંડિત વસાહતો પર હુમલા જોયા છે, અમે સરદાર વસાહતો પર હુમલા જોયા છે... પરંતુ હવે 21 વર્ષ પછી, બૈસરનમાં આટલો મોટો હુમલો થયો છે."
ADVERTISEMENT
પહેલગામ હુમલા બાદ જમ્મુ કાશ્મીરની વિધાનસભા મળી, CM ઓમર અબ્દુલ્લાની સ્પીચ વાયરલ#cmomarabdullah #PahalgamTerroristAttack #jammukashmir #indianarmy #Pahalgam #VTVDigital pic.twitter.com/SyrDKVjVnA
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 28, 2025
મારી પાસે 26 લોકોનાં પરિવારની માફી માંગવા શબ્દો નથી
ADVERTISEMENT
અબ્દુલ્લાએ કહ્યું કે, તેમણે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું, "મારી પાસે તેમના પરિવારના સભ્યોની માફી માંગવા માટે શબ્દો નહોતા. રાજ્યના મુખ્યમંત્રી તરીકે, મેં લોકોને અહીં આવવાનું આમંત્રણ આપ્યું હતું. યજમાન તરીકે, તેમને અહીંથી સુરક્ષિત રીતે પાછા મોકલવાની જવાબદારી મારી હતી, પરંતુ હું તેમ કરી શક્યો નહીં અને મારી પાસે માફી માંગવા માટે શબ્દો નહોતા."
શું મારું રાજકારણ આટલું સસ્તું છે?
ADVERTISEMENT
સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "હું આ તકનો ઉપયોગ રાજ્યનો દરજ્જો માંગવા માટે નહીં કરું. પહેલગામ પછી, હું જમ્મુ અને કાશ્મીર માટે રાજ્યનો દરજ્જો કેવી રીતે માંગી શકું? શું મારું રાજકારણ આટલું સસ્તું છે? આપણે ભૂતકાળમાં પણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી છે અને ભવિષ્યમાં પણ કરીશું, પરંતુ જો હું કેન્દ્ર સરકારને કહું કે 26 લોકો મૃત્યુ પામ્યા છે, તો હવે મને રાજ્યનો દરજ્જો આપો, તો તે મારા માટે શરમજનક હશે."
16 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ
ADVERTISEMENT
બીજી તરફ, કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયની ભલામણ પર કાર્યવાહી કરતા સોમવારે પાકિસ્તાનની 16 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલા પછી, આ યુટ્યુબ ચેનલો ભારત, આપણી સેના અને સુરક્ષા એજન્સીઓ વિશે ખોટી માહિતી ફેલાવી રહી છે. બીજી તરફ, પહેલગામ હુમલાના ગુનેગારોની શોધમાં સુરક્ષા દળો છેલ્લા 5 દિવસથી અલગ અલગ સ્થળોએ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.