ઘરમાંસુખ-શાંતિ કોણ નથી ઇચ્છતું, પરંતુ ઘણીવાર તમારા દ્વારા થતી કેટલીક ભૂલો વાસ્તુ દોષનું કારણ બની જાય છે. જ્યાં વાસ્તુ પ્રમાણે ઘરની સાજ સજાવટ પોઝિટીવ એનર્જી લાવે છે, તે જ રીતે થોડી અમથી ભુલો નુકશાનનું કારણ પણ બની શકે છે. તમારા ઘરમાં સુખ- શાંતિ જળવાઇ રહે તે માટે કેટલીક બાબતોનુ ખાસ ધ્યાન રાખો
Share
ઘરની અંદર બોનસાઇ કે કોઇ કાંટાવાળા છોડ ન લગાવો. તેનાથી ઘરનું વાસ્તુ બગડે છે અને નકારાત્મક ઉર્જા પણ ફેલાય છે.
દુધને ક્યારેય ખુલ્લુ ન રાખવું જોઇએ. એવું માનવામાં આવે છે કે દુધને ખુલ્લું રાખવાથી ઘરમાં આર્થિક સમસ્યા પેદા થાય છે, તેથી દુધને હંમેશા ઢાંકીને જ રાખો.
કોઇ પણ ભારે મુર્તિને ઘરની ઉત્તર કે પુર્વ દિશામાં ન રાખો. એવું કહેવાય છે કે તેનાથી પૈસાની સમસ્યા ઉભી થાય છે અને ઘરની સુખ શાંતિમાં અડચણ આવે છે.
બેડરુમમાં જુતા ચંપલ લઇને ન જાવ. તેનાથી નેગેટીવ એનર્જી વધે છે. તેનાથી પરિવારના સભ્યોનું આરોગ્ય પણ બગડે છે. બહેતર એ હશે કે તમે તેને રુમની બહાર જ રાખી દો.
લોખંડનુ કબાટ ક્યારેય પણ બેડની પાછળ ન રાખો. એ પણ ધ્યાન રાખો કે લોખંડની વસ્તુઓ તમારી પથારી પર ન હોય.
પાણીની ટાંકી, હેન્ડ પંપ, ઘડો કે બીજા જળસ્ત્રોત ઘરની વચ્ચોવચ ન હોવા જોઇએ. તેનાથી આર્થિક પરેશાનીઓ આવે છે.
દેવી દેવતાઓની ખંડિત મુર્તિઓ પણ ઘરમાં ન રાખવી જોઇએ. તેને જળમાં વહાવી દો.
ઘરમાં બંધ ઘડિયાલ કે તુટેલા કાચ કે કાચની વસ્તુઓ ન રાખવી જોઇએ. તુટેલા કાચથી આર્થિક નુકશાન થાય છે, માનસિક તણાવ વધે છે. જ્યારે બંધ ઘડિયાળથી કોઇ પણ કામ સમયસર પુરુ થતું નથી.
પુજા ઘરમાં જુની વસ્તુઓ, સુકાયેલા ફુલ, તુટેલી વસ્તુઓ, જુની માળા, અગરબત્તી જમા કરીને ન રાખો. તેનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dharma
Home
Upay
Vastu Dosh
Vastu remedies
remove
tips
Vastu Tips