ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગણેશોત્સવ બાદ હવે નવરાત્રિ વિધર્મીઓના નિશાને, મોડી રાત્રે નવરાત્રિના મંડપ પર પથ્થરમારો, કારના કાચ તોડાયા
Last Updated: 09:54 AM, 20 September 2025
ADVERTISEMENT
વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિને ડહોળવાનો પ્રયાસ થયો છે. જૂનીગઢી વિસ્તારમાં, જે સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યાં નવરાત્રી પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કેટલીક વાહનવિહોણી ઉભેલી ગાડીઓના કાચ તોડી નાંખવામાં આવ્યા અને પંડાલને નુકસાન પહોંચાડવામાં આવ્યું. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને જીવ બચાવવા માટે પગરખાં છોડીને લોકો ભાગ્યા હતા.
ADVERTISEMENT

સોશિયલ મીડિયામાં મુકેલ પોસ્ટથી વિવાદ
ADVERTISEMENT
આ બધાનું મૂળ એક યુવક દ્વારા સોશિયલ મીડિયા પર મૂકી દેવાઈ વિવાદિત પોસ્ટ માનવામાં આવી રહ્યું છે. પોસ્ટમાં મક્કા મદીનાને લઈ કરવામાં આવેલી અણચાહી ટિપ્પણી બાદ સ્થિતી વધુ બગડી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ સીટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ADVERTISEMENT
પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી
પરિસ્થિતિના ગંભીર સ્વરૂપને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. એડિશનલ પોલીસ કમિશનર સહિત ભારે પોલીસ બંદોબસ્ત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તણાવવાળી સ્થિતિમાં ધર્મગુરુઓની સહાય લઈ, લાઉડસ્પીકરના માધ્યમથી શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
ADVERTISEMENT
અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે
પોલીસ વિભાગે જણાવ્યું કે, ઘટનાની ગંભીરતા જોતા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ જાતનો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ સહન કરવામાં નહીં આવે. હાલમાં પોલીસ તણાવગ્રસ્ત વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચલાવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ