બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : મંદિર જળમગ્ન, નદીઓમાં ઘોડાપૂર, નવરાત્રિ વચ્ચે અહીં વરસાદે ભુક્કા બોલાવ્યા
Last Updated: 12:52 PM, 29 September 2025
જુનાગઢના માંગરોળ પંથકમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. ચાર કલાકમાં છ ઈંચ જેટલા વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે અનેક ગરબીઓ બંધ રહી હતી. તેમજ ધોધમાર વરસાદ પડતા ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યુંહતું. વધુ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. વાતાવરણમાં પલટો આવતા માંગરોળ બંદરમાં ત્રણ નંબલનું સિગ્નલ લગાવાયું હતું. તેમજ માછીમારોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સરસ્વતી નદીમાં ફરી એકવાર ઘોડાપુર આવ્યું
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી. સરસ્વતી નદીમાં ફરી એકવાર ઘોડાપુર આવ્યું હતું. સુપ્રસિદ્ધ માધવરાયજી પ્રભુ મંદિર પાણીમાં જળમગ્ન થયું. રાત્રે વરસેલા ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બાકીના નોરતામાં સોથ વાળી દેશે વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહી
ADVERTISEMENT
24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો મેઘો
ચોમાસાના વિદાય પહેલા રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં વરસાદ થયો. જેમાં સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં 8.03 ઈંચ અને કપરાડા તાલુકામાં 4.88 ઈંચ વરસાદ થયો છે. સાથે ઉમરગામમાં 4.65, વેરાવળમાં 4.61, માંગરોળમાં 4.41, કોડીનારમાં 4.25 અને અંકલેશ્વરમાં 4.17 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત ઉનામાં 4.17,ધરમપુરમાં 4.09, ડેડીયાપાડામાં 3.98, વિસાવદર 3.86 અને તાલાલામાં 3.62 ઈંચ વરસાદ થયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.