ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health Ministry issues guidelines for COVID-19 vaccination of children between 15-18 years and precaution doses

મહામારી / કેન્દ્ર દ્વારા 15થી 18 વર્ષના બાળકો માટે વૅક્સિનેશનની અને વૃદ્ધો માટે પ્રિકોશન ડોઝની ગાઈડલાઈન જાહેર

Published By: Hiralal

Last Updated: 07:29 PM, 27 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 15થી 18 વર્ષની વયના બાળકો માટે કોરોના વેક્સિનેશન, સ્વાસ્થ્ય દેખરેખ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે પ્રિકોશન ડોઝ સંબંધિત દિશાનિર્દેશ જારી કરી છે.

ADVERTISEMENT

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે બહાર પાડ્યાં દિશાનિર્દેશ
  • 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને અપાશે કોરોના વેક્સિન 
  • 10 જાન્યુઆરીથી ફ્રન્ટ વર્કર્સને અપાશે પ્રિકોશન ડોઝ 

કેન્દ્ર સરકારે બાળકોના વેક્સિનેશન સંબંધિત ગાઈડલાઈન્સ જારી કરી દીધી છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર ભારતમાં 3 જાન્યુઆરીથી બાળકોને કોવેક્સિન આપવાનું શરુ થશે તથા 10 જાન્યુઆરીથી ફ્રન્ટ લાઈન હેલ્થ કાર્યકરો તથા 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. 

સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ

  • 3 જાન્યુઆરીથી બાળકોને મળશે કોરોના વેક્સિન, આ લાભાર્થીઓ માટે વેક્સિનેશનનો વિકલ્પ ફક્ત કોવેક્સિન હશે.
  •  10 જાન્યુઆરીથી ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર્સ તથા  60 વર્ષથી ઉપરના લોકોને મળશે બૂસ્ટર ડોઝ 
  •   લાભાર્થીઓ કો-વિન પર તેમના હાલના એકાઉન્ટ દ્વારા ઓનલાઇન નોંધણી કરાવી શકે છે અથવા અન્ય નંબરપરથી નવું ખાતું બનાવીને નોંધણી પણ કરી શકે છે. આ સુવિધા હાલમાં રસી આપવામાં આવેલા તમામ નાગરિકો માટે ઉપલબ્ધ છે.
  •   લોકો વેકેશનના સ્થળે વેરિફાઇર/રસી વાળા સાથે પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
  •  રસીકરણ માટેની નિમણૂકો ઓનલાઇન અથવા ઓનસાઇટ બુક કરી શકાય છે.
  •  15-17ની વય જૂથ માટે માત્ર કોવાક્સિન વિકલ્પ ઉપલબ્ધ રહેશે કારણ કે આ વય જૂથ માટે આ એકમાત્ર રસી ઉપલબ્ધ છે.
  •  સાવચેતીના ડોઝ માટે બીજા ડોઝ પછી 9 મહિનાનું અંતર જરૂરી રહેશે.

ભારતમાં બુસ્ટર ડોઝ કોને અપાશે?
ભરતમાં હાલ પ્રિકોશનરી ડોઝ ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ અને ગંભીર બીમારી ધરાવતા અને 60 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે. જેમ પહેલા બે ડોઝ લાગ્યા છે એ જ રીતે આ ડોઝ પણ આપવામાં આવશે. એની કોઈ અલગ રીત નથી. 

 કેટલા લોકોને મળશે બુસ્ટર ડોઝ?
કોરોના સાથે સીધી લડાઈ લડી રહેલા ફ્રંટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સને પ્રિકોશનરી ડોઝ મળશે જેમની સંખ્યા આશરે 3 કરોડ જેટલી છે. 

60 વર્ષથી ઉપરના વૃદ્ધો કે જેમને કોઈ ગંભીર બીમારી છે તેઓને ડોક્ટરની સલાહ મુજબ વેક્સિનનો ત્રીજો ડોઝ મળશે. જો કે તેમના માટે આ વૈકલ્પિક સુવિધા છે. 

જો કોઈ બીમારી ન હોય તો?

જો કોઈ ગંભીર બીમારી ન હોય તો 60 વર્ષથી ઉપરના લોકોને પણ બુસ્ટર ડોઝ નહીં મળે. નેશનલ હેલ્થ ઓથોરીટીના સીઇઓ ડો. આર એસ શર્માએ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે પ્રિકોશનરી ડોઝ માટે 'કોમોરબીડિટી સર્ટિફિકેટ' જરૂરી હશે. જો તમને ડાયાબિટીસ, કેન્સર, શ્વાસ લેવામાં તકલીફ અને હ્રદયના રોગો જેવી ગંભીર બીમારી હોય તો જ તમને ત્રીજો ડોઝ મળશે. 

બુસ્ટર ડોઝનું સર્ટિફિકેટ મળશે?
હા. જે રીતે પ્રથમ બે ડોઝ પર વેક્સિન સર્ટિફિકેટ મળ્યું હતું એ જ રીતે ત્રીજા બુસ્ટર ડોઝનો સર્ટિફિકેટ પણ મળશે એવું ડો. અર એસ શર્માએ જણાવ્યું હતું. 

બુસ્ટર ડોઝના નિર્ણય પાછળનું કારણ 
દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ચેતવી દીધા છે કે કોરોનાની વેક્સિનથી બનેલી ઇમ્યુનિટી થોડા સમય પછી ઓછી થઈ જાય છે. એવામાં વેક્સિનના બુસ્ટર ડોઝની જરૂર બધાંને પડી શકે છે. કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે શક્તિશાળી હોવાથી તેની જરૂર વધી ગઈ હતી. હવે નવો વેરિયન્ટ વેકસીનેટેડ લોકોને પણ અસર કરી રહ્યો છે એટલે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વૃદ્ધોને બુસ્ટર ડોઝની જરૂર જણાઈ રહી છે. માટે સરકારે આ નિણર્ય લેવો પડ્યો હતો. 

860 વર્ષથી ઓછી ઉંમરના અને ગંભીર બીમારી હોય તો?

જો તમે 60 વર્ષથી ઓછી ઉંમરના હોવ પણ તમે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોવ તો પણ તમને વેક્સિનનો બુસ્ટર ડોઝ નહીં મળે. 

સંકળાયેલા મુદ્દાઓ

corona india corona vaccine india corona ઈન્ડીયા કોરોના કોરોના ઈન્ડીયા કોરોના વેક્સિન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ