બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મગજ પર હુમલો કરનાર રોગનો દુનિયામાં આતંક, ખતરનાક બીમારીને જોતાં WHOએ આપી વોર્નિંગ

હેલ્થ ટિપ્સ / મગજ પર હુમલો કરનાર રોગનો દુનિયામાં આતંક, ખતરનાક બીમારીને જોતાં WHOએ આપી વોર્નિંગ

Last Updated: 07:00 PM, 24 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં WHO અને એન્સેફાલીટીસ ઇન્ટરનેશનલે એક નવી  રિપોર્ટ બહાર પડી છે, જેમાં જણાવ્યું છે કે એન્સેફાલીટીસ સમગ્ર વિશ્વ માટે વધતી જતી આરોગ્ય કટોકટી બની રહી છે. આ એક જીવલેણ રોગ છે જેમાં મગજમાં સોજો આવે છે અને આ કોઈપણ ઉંમરના વ્યક્તિને અસર કરી શકે છે.

શું તમને ખબર છે કે એક એવી બીમારી છે જે અચાનક મગજ પર હુમલો કરી શકે છે અને વ્યક્તિને કોમામાં પહોંચાડી શકે છે? આ બીમારી એટલી ખતરનાક છે કે આનાથી બચવાની એક ઉપાય છે- સાવધાની અને સમયસર સારવાર!  

brain

તાજેતરમાં WHO અને એન્સેફાલીટીસ ઇન્ટરનેશનલે એક નવી  રિપોર્ટ બહાર પડી છે, જેમાં જણાવ્યું છે કે એન્સેફાલીટીસ સમગ્ર વિશ્વ માટે વધતી જતી આરોગ્ય કટોકટી બની રહી છે. આ એક જીવલેણ રોગ છે જેમાં મગજમાં સોજો આવે છે અને આ કોઈપણ ઉંમરના વ્યક્તિને અસર કરી શકે છે.

શું છે એન્સેફાલીટીસ?

એન્સેફાલીટીસ એ મગજનો એક ગંભીર ચેપ છે જે બે કારણોસર થઈ શકે છે:

  1. ચેપી એન્સેફાલીટીસ: જ્યારે કોઈ વાયરસ, બેક્ટેરિયા અથવા પરોપજીવી આપણા મગજ પર હુમલો કરે છે. ભારતમાં જાપાનીઝ એન્સેફાલીટીસ (JE) અને સ્ક્રબ ટાયફસ સૌથી સામાન્ય કારણો છે.
  2. ઓટોઇમ્યુન એન્સેફાલીટીસ: જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી મગજ પર હુમલો કરે છે.

કેમ ખતરનાક છે એન્સેફાલીટીસ?

આ બીમારી ઝડપથી ફેલાય છે અને જો સમયસર સારવાર ન મળે તો કોમા અથવા મોતનું કારણ બની શકે છે.

જે દર્દીઓ બચી જાય છે તેને યાદશક્તિની સમસ્યાઓ, બોલવામાં મુશ્કેલી અને માનસિક વિકૃતિઓ થઈ શકે છે.

બાળકો અને વૃદ્ધો માટે તે સૌથી ખતરનાક છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે.

ભારતમાં કેસ ઝડપથી વધી રહ્યા છે

2024 ના ડેટા અનુસાર, દેશભરના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 1,548 જાપાનીઝ એન્સેફાલીટીસ (JE) કેસ નોંધાયા હતા. ખાસ કરીને ઉનાળા અને ચોમાસામાં તેના કેસ વધે છે.

WHO એ ચેતવણી આપી

એન્સેફાલીટીસ ઇન્ટરનેશનલના ડોક્ટરે જણાવ્યું હતું કે: "જો આ બીમારી પર વધુ ધ્યાન આપવામાં ન આવે, તો આગામી વર્ષોમાં તેના કારણે થતા મૃત્યુ અને વિકલાંગતાઓની સંખ્યા વધશે."

WHO અને નિષ્ણાતોએ સરકારો, ડોકટરો અને સંશોધકોને આ બીમારી પર ગંભીર પગલાં લેવા અપીલ કરી છે.

વધુ વાંચો:ઘરમાં સવાર-સાંજ ધૂપ કે અગરબત્તી કરનારા સાવધાન! હેલ્થને થઇ શકે છે આ સાઇડ ઇફેક્ટ્સ

એન્સેફાલીટીસથી કેવી રીતે બચી શકાય?

રસી લેવી: જાપાનીઝ એન્સેફાલીટીસ જેવી  બીમારીથી બચવા માટે રસીઓ ઉપલબ્ધ છે.

મચ્છરોથી બચવું: ખાસ કરીને ચોમાસામાં મચ્છરદાની અને રીપેલેન્ટનો ઉપયોગ કરો.

ખોરાક અને પાણીની સ્વચ્છતા જાળવો: દૂષિત ખોરાક અને પાણી એન્સેફાલીટીસનું કારણ બની શકે છે.

લક્ષણોને નજરઅંદાજ ન કરો: જો તમને તાવ, માથાનો દુખાવો, ઉલટી, નબળાઈ અથવા મૂંઝવણ જેવી સમસ્યાઓ હોય, તો તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health News Encephalitis WHO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ