બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઘરમાં સવાર-સાંજ ધૂપ કે અગરબત્તી કરનારા સાવધાન! હેલ્થને થઇ શકે છે આ સાઇડ ઇફેક્ટ્સ
Last Updated: 04:02 PM, 24 February 2025
જો તમે દરરોજ તમારા ઘરના મંદિરમાં પૂજા માટે અગરબત્તી પ્રગટાવીને તમારા દિવસની શરૂઆત કરો છો તો તમારે સમયસર તમારી આદત બદલવી જોઈએ. કેમ કે ધૂપ અને અગરબત્તી કરીને તમે અજાણતાં તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છો. અહીં આપણે પૂજા વિશે નહીં પરંતુ પૂજા માટે પ્રગટાવવામાં આવતા ધૂપ અને અગરબત્તી વિશે વાત કરી રહ્યા છીએ. અગરબત્તી સળગાવવાથી નીકળતો ધુમાડો તમારા સ્વાસ્થ્ય માટે ખતરાઓ પેદા કરી શકે છે. અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે અગરબત્તી અને ધૂપમાં વપરાતા પોલીએરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs)ની અસર ફેફસાં પર ખૂબ જ ખરાબ થાય છે. ચાલો જાણીએ કે ધાર્મિક વિધિઓ અને પૂજા સ્થળોમાં વપરાતી અગરબત્તીઓ સ્વાસ્થ્યને કયું કયું નુકસાન પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
અગરબત્તીના ધુમાડામાં રહેલા રસાયણો ફેફસાંને નુકસાન પહોંચાડે છે. અનેક સ્ટડી સૂચવે છે કે અગરબત્તીઓ અને ધૂપમાં વપરાતા પોલી એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) ફેફસાં પર ખરાબ અસર કરે છે. તેમાંથી નીકળતો ધુમાડો શરીરના કોષો પર ખરાબ અસર કરે છે અને તે સિગારેટના ધુમાડા કરતાં પણ વધુ ઝેરી હોય છે. ધૂપના ધુમાડામાં રહેલા રસાયણો ફેફસાના પટલમાં ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. તેના ધુમાડાના સતત સંપર્કમાં રહેવાથી ફેફસાના કોષોમાં સોજો આવી શકે છે.
ADVERTISEMENT
લાંબા સમય સુધી ધૂપ અને અગરબત્તીનો ઉપયોગ કરવાથી આંખો અને ત્વચા સંબંધિત એલર્જી થઈ શકે છે. આ વસ્તુઓને બાળવાથી નીકળતા ધુમાડાથી આંખોમાં બળતરા થાય છે.તો સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને આ ધુમાડાના સંપર્કમાં આવવાથી ત્વચામાં ખંજવાળ મેહસૂસ થઇ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુગંધિત ધૂપ અને અગરબત્તીમાંથી નીકળતો રાસાયણિક ધુમાડો વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે. લાંબા સમય સુધી આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો, એકાગ્રતાનો અભાવ, ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવી બીમારીઓનું જોખમ પણ વધી શકે છે.
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, ધુમાડો શ્વસનતંત્રને પણ અસર કરે છે. અનેક સ્ટડી મુજબ, ધૂપના ધુમાડાના સતત સંપર્કમાં રહેવાથી શ્વાસ લેવાની ક્ષમતા 30 ટકા સુધી પ્રભાવિત થઈ શકે છે. અગરબત્તી સળગાવવાથી હવામાં કાર્બન મોનોક્સાઇડ ફેલાય છે. જેના કારણે ફેફસામાં સોજો આવી શકે છે અને શ્વાસ સંબંધિત બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે. ધૂપના ધુમાડામાં રહેલા કણો, ગેસ અને કાર્બનિક સંયોજનો શ્વસન માર્ગ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે વાયુમાર્ગને કમજોર પાડે છે.
ADVERTISEMENT
ખાસ કરીને અગરબત્તી અને ધૂપનો ધુમાડો ફેફસાંના સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર કરે છે. આ ધુમાડાના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવાથી વ્યક્તિ માટે અસ્થમા, સીઓપીડી, ફેફસાનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, ડિમેન્શિયા, માથાનો દુખાવો, માઈગ્રેન વગેરે જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.