બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health benefits of eating sprouted moong on an empty stomach
Arohi
Last Updated: 10:05 AM, 13 March 2024
એક્સપર્ટ્સ અનુસાર મગને પલાળીને ખાલી પેટે ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. જણાવી દઈએ કે ફણગાયેલા મગમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, ઝિંક, આયર્ન, મિનરલ, એન્ટી-ઓક્સિડેન્ટ, કોપર, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ઈ જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.
સાથે જ ફણગાવેલા મગમાં ફેટનું પ્રમાણ ઓછુ મળી આવે છે. ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન કરવાથી શરીરમાં એનર્જી બની રહે છે. સાથે જ સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.
ઈમ્યૂનિટી થાય છે બૂસ્ટ
નિયમિત ફણગાવેલા મગ ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. આ એન્ટી-ઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. માટે જો તમે ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન કરો છો તો તેનાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. તેને રોજ એક મુઠ્ઠી ખાવાથી તમે વાયરસ અને બેક્ટેરિયાની ઝપેટમાં આવવાથી બચી શકો છો.
વજન ઘટવું
શરીરના વધતા વજનને કંટ્રોલ કરવા માટે મગ ખૂબ જ સારો ઓપ્શન છે. એવામાં જો તમે સ્થૂળતા ઘટાડવા માંગો છો તો તમે ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન કરી શકો છે. ફણગાવેલા મગ પ્રોટીન અને ફાઈબરનો સારો સોર્સ માનવામાં આવે છે. સાથે જ તેમાં ફેટનું પ્રમાણ પણ ઓછુ હોય છે જે વજનને ઓછુ કરવામાં મદદ કરે છે.
લોહીની કમી
શરીરમાં લોહીની કમી ઘણી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. એવામાં ફણગાવેલા મગની દાળ લાભકારી સાબિત થઈ શકે છે. હકીકતે ફણગાવેલા મગમાં આયર્નની હાજરી હોય છે જે આપણા હીમોગ્લોબિનના સ્તરને વધારવામાં મદદ કરે છે. એામાં જો તમે રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાઓ છો તો લોગીની કમીને દૂર કરી શકાય છે.
મસલ્સને કરે છે સ્ટ્રોંગ
શરીરને તાકાત આપવા માટે મગની દાળનું સેવન કરી શકાય છે. ફણગાવેલા મગનું સેવન મસલ્સ માટે કોઈ વરદાનથી કમ નથી. જણાવી દઈએ કે મગની દાળમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. જે મસલ્સને મજબૂતી આપવાનું કામ કરે છે. તેના ઉપરાંત રોજ ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં પ્રોટીનની કમી પણ નથી થતી.
આંખોને રાખે છે હેલ્ધી
નિયમિત રીતે ખાલી પેટે ફણગાવેલા મગ ખાવાથી આંખોને ફાયદો થાય છે. હકીકતે ફણગાવેલા મગમાં વિટામિન એ મળી આવે છે જે આંખોની રોશનીને તેજ કરવામાં મદદ કરે છે. તેની સાથે જ આંખ સાથે જોડાયેલી મુશ્કેલીઓ પણ દૂર કરે છે.
વધુ વાંચો: કિડની સ્ટોનના દર્દીઓ માટે ઝેર સમાન છે આ શાકભાજી, ખાતા પહેલા આ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો
શુગર લેવલ ઘટાડો
ડાયાબિટીસના દર્દી માટે ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે ફણગાવેલા મગમાં એન્ટી ડાયાબિટીક ગુણ મળી આવે છે. જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એક્સપર્ટ તેના માટે રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાવાની સલાહ આપે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime