બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news eating these vegetables including tomatoes can cause kidney stones
આજકાલ લોકોમાં કિડની સ્ટોનની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. કિડની સ્ટોનની સમસ્યા ત્યારે જ થાય છે જ્યારે તમે ઓક્ઝાલેટ વાળા ફૂડ્સનું સેવન વધારે કરો છો. સાથે જ ઓછું પાણી પીવાથી પણ આ સમસ્યા વધી જાય છે. માટે તમારી ડેલી લાઈફમાં વોટર ઈન્ટેક વધારો. તેના ઉપરાંત તમને પોતાના ભોજન પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
ADVERTISEMENT

ભોજનમાં થોડી પણ બેદરકારી આ સમસ્યાને વધારી શકે છે. કિડની સ્ટોનના દર્દીને ડોક્ટર્સ પણ આવા ફૂડ્સ ખાવાની સલાહ નથી આપતા જેમાં બીજ વધારે પ્રમાણમાં હોય છે. જાણો પથરીની સમસ્યામાં કયા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ.
ADVERTISEMENT
ટામેટા
ટામેટા એક એવું શાકભાજી છે જે ખાવાથી સ્વાદ અનેક ગણો વધી જાય છે. તમને જણાવી દઈએ કે ટામેટામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ્સ મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આટલું જ નહીં તેને વિટામિન સીનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ આ બીમારીને તેને ભૂલથી પણ ન ખાવું જોઈએ.

ADVERTISEMENT
અનેક ગુણોથી ભરપૂર છે ટામેટા
ટામેટામાં મળીતું ગ્લૂટાથીયોન તત્વ આપણી ઈમ્યૂનિટીને ઠીક રાખવાની સાથે સાથે પ્રોસ્ટેટ કેન્સરથી પણ બચાવે છે. ટામેટામાં વિટામિન સી, બીટાકેરાટીન, લાઈકોપીન, વિટામિન એ પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી હાર્ટની બીમારીનો ખતરો ઓછો થઈ જાય છે. ઉનાળામાં તેનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
પથરી વાળા દર્દી માટે ઘાતક છે ટામેટા
ટામેટામાં પણ ઓક્સલેટ હોય છે પરંતુ તેનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે તો કિડની સ્ટોનથી બચી શકાય છે. જો તમે ટામેટાના શોખીન છો તો તેનું સેવન બીજ કાઢીને કરી શકો છો. જેનાથી તમને પથરીની સમસ્યા ન થાય. તેના ઉપરાંત જો તમને પહેલાથી જ પથરીની સમસ્યા થઈ ચુકી છે કે અલ્ટ્રાસાઉન્ડમાં ખૂબ જ નાની પથરીની આશંકા છે તો તમારે ટામેટા, રિંગણ મરચાનું સેવન ઓછુ કરી દેવું જોઈએ.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુસ્સામાં બેકાબૂ થઇ જાઓ છો? તો ચેતી જજો, નહીં તો હાર્ટ માટે બની શકે છે જીવલેણ
.jpg)
ADVERTISEMENT
આ શાકભાજીનું પણ ન કરો સેવન
જો તમને પથરીની ફરિયાદ છે તો પ્રયત્ન કરો કે ટામેટા, મચાની ચટણી પીસતી વખતે પથ્થર વાળી સિલનો ઉપયોગ ન કરો. તેનાથી પથરી થવાના ચાન્સ વધારે વધી જાય છે. કાચું પાલક, ચાર્ડ, ફુલાવરમાં ઓક્સાલેટ હોય છે જે કિડનીની પથરીને ખરાબ કરી શકે છે અથવા તો બનાવી શકે છે અને મોટા પ્રમાણમાં ખાવાથી આયર્ન, કેલ્શિયમના અવશોષણને પણ રોકી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.