બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હજુ સુધી આધાર-પાન લિંક નથી કરાવ્યું? તો ફૉલો કરો આ સ્ટેપ્સ, આવી ગઇ છે અંતિમ ડેડલાઇન
Last Updated: 03:35 PM, 27 December 2024
સરકારે 31 ડિસેમ્બર 2024 સુધીમાં તમામ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો આ 31 ડિસેમ્બર 2024 સુધીમાં કરવામાં નહીં આવે, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જો પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જાય છે, તો તમને નાણાકીય વ્યવહારો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને કરદાતાને ટેક્સ ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
પાન કાર્ડ સાથે આધાર કેવી રીતે લિંક કરવું?
ADVERTISEMENT
તમારા પાનકાર્ડ સાથે આધાર લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા,ખાતરી કરો કે તમારી પાસે આ ત્રણ વસ્તુઓ છે.
માન્ય PAN કાર્ડ
ADVERTISEMENT
તમારો આધાર નંબર
OTP ચકાસણી માટે નોંધાયેલ મોબાઇલ નંબર
ADVERTISEMENT
હવે તમારા આધારને PAN સાથે લિંક કરવા આ સ્ટેપ ફોલો કરો
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ- સૌ પ્રથમ સત્તાવાર આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ [https://incometax.gov.in] પર જાઓ. પછી હોમપેજ પર ક્વિક લિંક્સ વિભાગમાં ઉપલબ્ધ લિંક આધાર વિકલ્પ પર ક્લિક કરો. બીજી રીત એ છે કે તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો અને પ્રોફાઇલ વિભાગમાં આધાર લિંક ટેબ પર ક્લિક કરો.
ADVERTISEMENT

PAN અને આધાર વિગતો દાખલ કરો- ઉલ્લેખિત ફીલ્ડ્સમાં તમારો PAN અને આધાર નંબર દાખલ કરો. નંબર દાખલ કર્યા પછી ખાતરી કરો કે તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમારા આધાર અને પાન કાર્ડ બંને પરની માહિતી સાથે બરાબર મેળ ખાય છે.
ADVERTISEMENT

OTP વેરિફિકેશન- જરૂરી વિગતો દાખલ કર્યા પછી તમને તમારા આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ (OTP) પ્રાપ્ત થશે. તે OTP દાખલ કરો અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે માન્ય કરે પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ હેલ્થ / ડિપ્રેશનથી મેળવવો છે છૂટકારો? તો રોજ સવારમાં ઉઠીને કરો આ કાર્ય, મળશે રાહત
લિંકિંગ કન્ફર્મેશન- એકવાર તમારું આધાર અને PAN સફળતાપૂર્વક લિંક થઈ ગયા પછી સ્ક્રીન પર એક કન્ફર્મેશન મેસેજ દેખાશે. જો કોઈ ભૂલો હોય, તો તમારે આગળ વધતા પહેલા તેને ઉકેલવાની જરૂર પડી શકે છે.
લિંક કરવામાં મુશ્કેલી આવે તો શું કરવું?
તમારું આધાર અને PAN પહેલેથી જ લિંક છે અથવા તમારા આધાર ડેટામાં કોઈ સમસ્યા છે, તો સિસ્ટમ તમને પોપ-અપ મેસેજ દ્વારા જાણ કરશે. આવા કિસ્સાઓમાં, તમારે સહાય માટે આવકવેરા વિભાગનો સંપર્ક કરવો પડશે અથવા UIDAI પોર્ટલ દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.