બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Harij Mamlatdar suicide case got a new explanation

ખુલાસો / 'મારા નામનું ફેક ID...', હારીજના મામલતદાર વિનુ પટેલના કેસમાં નવો વળાંક, સામે આવી ચોંકાવનારી fb પોસ્ટ

Last Updated: 01:34 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હારીજના મામલતદારના આપઘાત કેસમાં નવો ખુલાસો થવા પામ્યો છે. જેમાં વિનુ પટેલે કરેલ ફેસબુક પોસ્ટ સામે આવી છે. જેમાં કેટલાક શખ્શો દ્વારા નકલી ID બનાવી હેરાનગતિ કરવામાં આવી રહ્યાનો પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો. હવે પોલીસ દ્વારા નકલી આઈડી બનાવનાર શખ્સો કોણ છે તેને લઈ તપાસ હાથ ધરી છે.

  • પાટણના હારીજ મામલતદારના આપઘાત કેસમાં ખુલાસો 
  • 4 ફેબ્રુઆરીએ મામલતદાર વિનુ પટેલે કરેલી ફેસબુક પોસ્ટ આવી સામે 
  • વિનુ પટેલે પોસ્ટમાં હેરાનગતિ કરાઇ રહી હોવાનો કર્યો હતો ખુલાસો 
  • નકલી ID બનાવી શખ્સો હેરાનગતિ કરી રહ્યા હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ 

ગત રોજ હારીજ તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવા વીનુ પટેલના આપઘાત મામલે ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. જેમાં વીનુ પટેલે બિલ્ડીંગના ત્રીજા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધા બાત તેમની એક ફેસબુક પોસ્ટ સામે આવવા પામી છે. જેમાં તેમણે નકલી આઈડીથી હેરાનગતિ કરાતી હોવાનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે.  આપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. ફેસબુક પોસ્ટમાં મામલતદારે તેમના જ નામે બનાવાયેલી નકલી આઈડી બનાવી શખ્સો હેરાનગતિ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. નકલી ફેસબુક આઈડી તેમના સાથે ક્યાં પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી હતી. તેને લઈને પોસ્ટમાં કોઈ ખુલાસો કરવામાં ન આવતા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.  મામલતદારને આપઘાત માટે મજબૂર કરનાર શખ્શ કોણ છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 

પોલીસ દ્વારા તપાસ શરૂ કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલે ગતરોજ હારીજ મામલતદાર કચેરીના નવીન બિલ્ડીંગના ત્રીજા માળેથી પડતું મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. વી.ઓ. પટેલના આપઘાતના સમાચાર સાંભળતા જ પરિવારજનો તેમજ મિત્રો શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા મામલતદાર દ્વારા ક્યાં કારણોસર આત્મહત્યા કરવામાં આવી તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

વધુ વાંચોઃ ગુજરાતથી 4 વિશેષ ટ્રેન ગઈ અયોધ્યા મુકામે, 5 હજારથી વધુ ભક્તો રામલલાના દર્શને

મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ મળી નથીઃડી.ડી.ચૌધરી, DySP 
પાટણ જીલ્લાના હારીજના મામલતદાર આત્મહત્યા મામલે ગત રોજ સમી એસડીએમ તેમજ પાટણ ડી.વાય.એસ.પી.એ નિવેદન આપ્યું હતું કે, મૃતદેહ પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. તેમજ આત્મહત્યા કરવા પાછળનાં કારણો અંગે કોઈ પુરાવા મળ્યા નથી. પરિવાર સહિતના લોકોની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. તેમજ મૃતક મામલતદાર બનાસકાંઠાના દિયોદર તાલુકાના લીલીધર ગામના વતની હતી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Harij Mamlatdar Vinu Patel suicide case નકલી આઈડી નવો ખુલાસો મામલતદાર હારીજ હેરાનગતિ patan
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ