બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / 4 special trains went from Gujarat to Ayodhya

સ્પેશ્યલ સુવિધા / ગુજરાતથી 4 વિશેષ ટ્રેન ગઈ અયોધ્યા મુકામે, 5 હજારથી વધુ ભક્તો રામલલાના દર્શને

Vishal Khamar

Last Updated: 11:37 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થયા બાદ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દેશનાં ખૂણે ખૂણેથી હજારો ભક્તો અયોધ્યા દર્શને જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી અંદાજે 4 ટ્રેન મારફતે 5636 લોકો અયોધ્યા દર્શને ગયા છે.

  • ગુજરાતથી 4 વિશેષ ટ્રેન અયોધ્યા ગઈ 
  • 5,636 લોકો રામલલાના દર્શને ગયા
  • ગુજરાતના ભક્તો દ્વારા 52 ગજની ધજા ચડાવાશે 

અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામ ભક્તોમાં અયોધ્યા જવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી 4 ટ્રેન મારફતે અંદાજે 5637 લોકો અયોધ્યા દર્શને ગયા છે.  જેમાં અમદાવાદ, સુરત, ભાવનગર અને રાજકોટથી અયોધ્યા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિશેષ ટ્રેનમાં રામ મંદિર આંદોલનમાં ભાગ ભજવનાર લોકો, કાર સેવકો અને વિશ્વ હિંદુ પરિષદનાં કાર્યકરોનો સમાવેશ થાય છે.

અશ્વિનભાઈ પટેલ (વિહિપ, પ્રાંત મંત્રી)

કઈ કઈ જગ્યાએથી ટ્રેન અયોધ્યા ગઈ
આ બાબતે વિહિપનાં પ્રાંત મંત્રી અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ ગુજરાત ભરમાંથી રામ ભક્તોનાં દર્શન માટેની વ્યવસ્થા ગુજરાતમાંથી  વિશ્વ હિન્દુ પરિષદ સંઘ પરિવારમાંથી ચાર ટ્રેનો રવાના કરવામાં આવી છે. જેમાં ભાવનગરમાંથી ગઈકાલે રાત્રે, આજે સવારે રાજકોટથી ગતરોજ રાત્રે કર્ણાવતીથી, રાત્રે આઠ વાગ્યે સુરતથી ટ્રેન રવાના થઈ હતી.  લગભગ 5600 જેટલા રામ ભક્તો દર્શન માટે જવાના છે. તેમજ અયોધ્યામાં પણ બધી જ વ્યવસ્થા તેમના માટે કરેલી છે.  તેમજ દર્શન કરીને તે જ ટ્રેનમાં બધા પરત આવવાનાં છે. તેમજ જવાબદાર બધા જ લોકો અંદર છે. જેમાં પ્રાંત, જીલ્લા વિભાગ, ઘણા માન્ય સંચાલકો, ઘણા સંઘના પ્રાંતના અધિકારીઓ છે.  

વધુ વાંચોઃ RTO બાદ હવે એરપોર્ટના સર્વરમાં ખામી: મુસાફરો 1 કલાક સુધી અટવાયા, ટ્વિટ કરાતા તંત્ર કામે લાગ્યું

અયોધ્યા જતી ટ્રેનનાં પ્રસ્થાન સમયે મહામંડલેશ્વર અખીલેશ્વરદાસજી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના મંત્રી અશોક રાવલ, સહમંત્રી અશ્વિન પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ગુજરાતથી જતા ભક્તો દ્વારા રામ મંદિર પર 52 ગજની ધજા પણ ચડાવવામાં આવશે. જયશ્રી રામના નારા સાથે રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ