બ્રેકિંગ ન્યુઝ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ખીલના ડાઘથી મોં ગંદુ થતું અટકાવો, ચહેરાને ચમકાવવા 3 વસ્તુઓ કરો ટ્રાય
Last Updated: 09:50 PM, 28 April 2024
આપણે ગમે તેટલા દેખાવડા હોઇએ પરંતુ ચહેરા પર ખીલના ડાઘને કારણે આપણો ચહેરાની ચમક છીનવાઇ જાય છે. પિમ્પલ ઠીક થયા પછી તેના નિશાન ઘણીવાર ચહેરા પર રહે છે. જેના કારણે ચહેરાની સુંદરતા ઘણી હદ સુધી છીનવાઈ જાય છે. અહીં જાણો આ નિશાનોથી કેવી રીતે છુટકારો મેળવવો.
ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકોને પિમ્પલ્સની સમસ્યા રહે છે. ખીલથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ સખત મહેનત કરવી પડે છે. જો ખીલ દૂર થઈ જાય છે, તો પણ ચહેરા પર તેના ફોલ્લીઓ રહે છે. આ નિશાનોને કારણે ચહેરાની સુંદરતા બગડી જાય છે. આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપચાર મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપાયોનો નિયમિત ઉપયોગ કરીને તમે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો અને ચહેરાની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે.
બટાટા ફોલ્લીઓ અને ડાઘ-ધબ્બા દૂર કરવા માટે ઉપયોગી થઈ શકે છે. તેમાં રહેલા ગુણો સુંદરતા વધારવામાં મદદ કરે છે. આ માટે બટાકાને મિક્સરમાં પીસી લો અને પછી તેમાં નારિયેળ તેલના થોડા ટીપા મિક્સ કરો. હવે તેને ચહેરા પર લગાવો અને મસાજ કરો. આનાથી નિશાન પણ દૂર થશે અને રંગ સુધરશે.
નારંગીની છાલનો પાવડર બનાવો અને પછી સમાન ભાગોમાં મધ મિક્સ કરો. તેની સ્મૂધ પેસ્ટ બનાવીને બરાબર મિક્ષ કરી લો. આ પેસ્ટને ચહેરાના પિમ્પલ્સથી અસરગ્રસ્ત વિસ્તારો પર લગાવો અને પછી તેને 10-15 મિનિટ માટે રહેવા દો અને તેને નવશેકા પાણીથી ધોઈ લો.
વધુ વાંચો: મહાદેવ બેટિંગ એપ કેસમાં SITની મોટી કાર્યવાહી, એક્ટર સાહિલ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ
નારિયેળ તેલનો ઉપયોગ ત્વચાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે. તેને લાગુ કરવા માટે તમારી હથેળીઓ વચ્ચે નારિયેળ તેલ ઘસો અને તેને તમારા ચહેરાના અસરગ્રસ્ત ભાગ પર લગાવો. તેને આખી રાત રહેવા દો અને પછી સવારે તેને ધોઈ લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT