બ્રેકિંગ ન્યુઝ
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / પોસ્ટ ઓફિસની 5 જોરદાર સ્કીમ! જેમાં રૂપિયા પણ સુરક્ષિત રહેશે, વ્યાજ પણ તગડું મળશે
Last Updated: 08:17 PM, 10 May 2024
Post Office Best Schemes: તમે બચત કરેલી મુળીને સુરક્ષિત રીતે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં રોકાણ કરી શકો છો, જ્યાં રોકાણ સુરક્ષિત હોવાની સાથે તમને તેના પર ભારે વ્યાજ પણ મળશે.
ADVERTISEMENT
પૈસા બચાવવા માટે બજારમાં અગણિત સ્કીમ ઉપલબ્ધ છે. પરંતુ ક્યાંય પણ પૈસાનું રોકાણ કરતા પહેલા એક પ્રશ્ન મનમાં આવે છે કે અહીં પૈસા કેટલા સુરક્ષિત રહેશે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો એવી જગ્યા પસંદ કરશે જ્યાં તેમના પૈસા ન જાય. પોસ્ટ ઑફિસની જેમ, જ્યાં રોકાણ કરવાથી તમે જમા કરેલી રકમ પર માત્ર વધુ વ્યાજ નહીં મેળવશો પરંતુ પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
ADVERTISEMENT
કિસાન વિકાસ પત્ર
આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને વાર્ષિક 7.5% વ્યાજ મળશે. પરંતુ જો તમે 9 વર્ષ અને 7 મહિના માટે પૈસા છોડી દો છો, તો જમા રકમ બમણી થઈ જશે. આમાં રોકાણની કેટલીક શરતો છે. જેમ કે આ યોજના હેઠળ 1000 રૂપિયાથી ઓછી રકમ જમા કરાવી શકાતી નથી. જો કે, મહત્તમ રકમ પર કોઈ નિશ્ચિત મર્યાદા નથી.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ ભારતીય વ્યક્તિ આમાં રોકાણ કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ આ ખાતું તેમના વાલી પાસે ખોલાવવું પડશે. આમાં વ્યાજ દર 7.1% (વાર્ષિક ચક્રવૃદ્ધિ) છે અને તે 15 વર્ષમાં પરિપક્વ થશે. આમાં, તમે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. આ ખાતામાંથી એક વર્ષના સમયગાળા પછી લોન પણ લઈ શકાય છે.
નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ
આ યોજના હેઠળ એક વર્ષ (6.9%)થી લઇને પાંચ વર્ષ (7.5%) માટે નાણાંનું રોકાણ કરી શકાય છે. આમાં પણ લઘુત્તમ મર્યાદા 1000 રૂપિયા છે, જ્યારે વધુમાં વધુ તમે ચાહો એટલુ રોકાણ કરી શકો છો. એક વર્ષ પહેલા આ સ્કીમમાંથી પૈસા ઉપાડો છો, તો તમને બચત ખાતા પર જેટલું વ્યાજ મળે છે તેટલું જ વ્યાજ મળશે.
આ પણ વાંચોઃ તમારા આધારને ચોરોથી બચાવો! જાણો બાયોમેટ્રિક માહિતી લોક કરવાની સરળ રીત
સીનિયર સિટીઝન સેવિંગ
આ યોજના વરિષ્ઠ નાગરિકો માટે છે, જેમાં વાર્ષિક 8.2% વ્યાજ છે. પરંતુ આ વ્યાજ પાંચ વર્ષ પૂરા થયા પછી જ મળશે. ખાતું એક વર્ષ પહેલા બંધ કરવામાં આવે તો વ્યાજ આપવામાં આવશે નહીં. આ સ્કીમમાં રોકાણ કરવા માટે ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ હોવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT